ચા..ઉઠતાની સાથે ગુજરાતીઓને કાંઈ જોઈએ તો તે છે ચા..કારણ કે ચા પીધા વીના આપણો દિવસ જ ન ઉગે અને જો ઉઠતા સાથે ચા ન મળે ચો દિવસ ખરાબ થાય.. આવું લોકો માને છે. પરંતુ આજે વાત કરવી છે. બે એન્જિનિયર દિમાગની. સવાલ થતો હશે ભાઈ એન્જિનિયર અને ચા ને શું લેવાદેવા. તો અહીં લેવાદેવા છે. કારણ કે, સુરતના બે એન્જિનિયરોએ લાખો રૂપિયાની નોકરી છોડી ચાનો વ્યવસાયી શરૂ કર્યો છે.
એન્જિનિયર દીમાગની કમાલ
લાખોની નોકરી છોડી ચાનો ધંધો શરૂ કર્યો
રોજના કમાય છે 10-12 હજાર રૂપિયા
ચાઈ પે ચર્ચા..પ્રધાનમંત્રી મોદીનું આ સૂત્ર આજે સુરતના બે એન્જિનિયર દિમાગે સાર્થક કરી બતાવ્યું છે. પ્રદિપ અને ગણેશ નામના આ બંને એન્જિનિયરોએ ચા...ને પોતાનો વ્યવસાય બનાવી લીધો છે અને ચાની દુકાન શરૂ કરી છે. તે પણ લાખો રૂપિયાની નોકરી છોડી. નવાઈ લાગી.
લાખોની નોકરી છોડી શરૂ કરી ચાની દુકાન
બંનેને મુરખા કહેવાનું મન પણ થયું હશે. પરંતુ એવું લાગી રહ્યું છે તેમના દિમાગનો ખેલ હજુ તમે સમજી શક્યા નથી. આ બંને મહાશયો ચાના ધંધાને પણ કાંઈક હટકે બનાવવા નિકળ્યા છે. ચાને એક નવી ઓખળ આપવા નિકળ્યા છે.
લોકો કહેતા હતા મુરખ
તમને એવો પણ સવાલ થતો હશે કે, લાખો રૂપિયાની નોકરી છોડીની ચાના ધંધામાં શું તીર મારી લેવાના છે. તો તમે ભૂલી ગયા કે, આ ગુજરાત છે. જ્યાં ઉઠતા-બેસતા અને ઊંઘતા પહેલા પણ લોકો ચા પીવાના શોખીન હોય છે. એટલું જ નહીં લોકો રાત્રે પણ ચા ની ચૂસકા લેવા માટે પહોંચી જાય છે. તેવામાં ચા કાોલીટીમાં અને ફ્લેવર વાળી મળી જાય તો..જલસો પડી જાયને આ એન્જિનિયર દિમાગમાં પણ કાંઈક આવો જ ખેલ છે.
સલ્ફરમુક્ત ખાંડનો કરે છે ઉપયોગ
હવે ચાની કાોલિટી અંગે પણ વાત કરી લઈએ તો..જે ચા બનાવવામાં આવે છે તેને 6 વખત બ્લેન્ડ કરવામાં આવે છે. સાથે જ ચા માં સલ્ફરમુક્ત ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી કરીને લોકોના ટેસ્ટની સાથે-સાથે તેમના આરોગ્યને પણ નુકસાન ન થાય. અહીં 9 જેટલા ફ્લેવરમાં લોકોને ચા મળે છે. એટલે કે જેનો જેવો ટેસ્ટ અને પસંદ. જોકે આ એન્જિનિયર દિમાગનો રંગ પણ દેખાવા માંડયો છે. લોકો પણ સુરતના ખુણે-ખુણેથી અહીં ચાઈ મેકર્સમાં ચાની ચૂસકા માણવા પહોંચી રહ્યા છે. આ લોકો દરરોજના 10-12 હજાર રૂપિયાની કરે છે કમાણી.