કોરોનાકાળમાં ટીમ ઇન્ડિયાના લેગ સ્પિનર યજુવેન્દ્ર ચહલે તેમના ફેન્સને શૉક કરી દીધા છે, તેમણે સગાઇ કરી લીધી છે. ચહલની મંગેતરનું નામ ધનશ્રી વર્મા છે.
ચહલની મંગેતર છે ડેન્ટિસ્ટ
યુટ્યુબ પર ધરાવે છે 15 લાખ ફોલોઅર્સ
ચહલની મંગેતરનું નામ ધનશ્રી વર્મા
હાલમાં જ ચહલે પોતાનો 30મો જન્મદિવસ ઉજવ્યો હતો અને તેમના જીવનની સેકન્ડ ઇનિંગ શરૂ કરવાનો પણ નિર્ણય કર્યો હતો. યજુવેન્દ્ર ચહલે કોરિયોગ્રાફર અને યુટ્યુબ સેલિબ્રિટી ધનશ્રી વર્મા સાથે સગાઇ કરી લીધી હતી અને શનિવારે તેની જાણકારી સોશ્યલ મિડીયા દ્વારા આપી હતી.
ચહલની મંગેતર ધનશ્રીની વાત કરીએ તો તે પ્રોફેશનલ ડેન્ટિસ્ટ છે અને યુટ્યુબ પર તેની ચેનલ ધરાવે છે જમાં તેના 15 લાખ કરતા પણ વધારે સબસ્ક્રાઇબર છે. ધનશ્રી અને ચહલ છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. બાદમાં તેમને લાગ્યુ કે હવે સગાઇ કરી લેવી જોઇએ ત્યારે તેમના માતા-પિતાની મંજૂરી સાથે સગાઇ કરી લીધી હતી.
ધનશ્રી પોતાની યુટ્યુબ ચેનલ પર બોલિવૂડના ગીતો રિક્રિએટ કરે છે અને પોતાની એકેડમીના ડાન્સ વીડિયો પણ ચેનલ પર અપલોડ કરે છે. ધનશ્રીએ મુંબઇથી જ ડેન્ટિસ્ટનો અભ્યાસ કર્યો છે. સગાઇ બાદ વિરાટ કોહલીએ બંનેને શુભકામનાઓ પાઠવી હતી. ચેન્નાઇ સુપર કિંગ્સે ચહલને શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, હંમેશા ક્વિનની સામે ઝૂકીને રહેજે નહીતર માત્ર મ્હાત જ મળશે.