આખા દેશમાં જ્યારે કોરોના વાયરસનો કહેર વર્તાઇ રહ્યો છે અને લાખો લોકો કોરોનાના કારણે મૃત્યુ પામી રહ્યાં છે. એવા સમયે યુજવેન્દ્ર ચહલ એક પેશન્ટ માટે મસિહા બનીને સામે આવ્યો હતો.
કોરોના વાયરસ ભારતમાં વકર્યો
યજુવેન્દ્ર ચહલે કરી પેશન્ટની મદદ
2 લાખ રૂપિયાનું કર્યુ દાન
આ મહામારીમાં લોકો એકબીજાની મદદ કરી રહ્યાં છે. સેલેબ્સ પણ મદદ માટે આગળ આવ્યા છે અને હજારો લોકો સોશ્યલ મિડીયા પર લોકો એકબીજાની મદદ કરવા માટે આગળ આવ્યા છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના બૉલર યુજવેન્દ્ર ચહલે બેંગ્લોરના એક દર્દીની આર્થિક રૂપે મદદ કરી હતી અને તેનો જીવ બચાવ્યો હતો.
ચહલે કોરોનાથી જંગ લડી રહેલા એક બેંગ્લોરના દર્દીની મદદ માટે 2 લાખ રૂપિયાનું દાન કર્યુ હતુ. હાલમાં જ તેણે ક્રાઉડ ફંડીંગ માટે ભારતીય કપ્તાન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ ચલાવેલા અભિયાનમાં 95 હજારરૂપિયાનુંદાન કર્યુ હતુ. અનુષ્કાએ લક્ષ્ય કરતા વધારે રૂપિયાનું ફંડીંગ ભેગુ કરી લીધુ હતુ.
બેંગ્લોરના એક દર્દીએ ફંડ માટે 4 લાખ રૂપિયાનો લક્ષ્ય રાખ્યો હતો જેમાં અડધા પૈસા ચહલે દાન કર્યા હતા. દર્દીના એક જાણકારે લખ્યું કે આ ફંડ તેમના મિત્રના પરિવારના એક પેશન્ટ માટે છે કે જે કોરોનાથી જંગ લડી રહ્યાં છે. ઇલાજ માટે જે તેઓ કરી શકતા હતા તે બધુ જ કર્યુ છે તેમ છતાં તેને 4 લાખ રૂપિયાની જરૂર છે. પેશન્ટના જાણકારે મદદ માંગી હતી અને ચહલ સિવાય અન્ય ક્રિકેટર પણ મદદ માટે આગળ આવ્યા હતા. આ સમયે ભારતમાં રોજ 3.5 લાખ કોરોનાના નવા કેસ સામે આવી રહ્યાં છે.