લોકવાયકાને હજુ પણ લોકો પરંપરા તરીકે પાળી રહ્યા છે, એક દિવસ પહેલા રક્ષાબંધન મનાવવાનું કારણ ખૂબ જ રસપ્રદ છે
બનાસકાંઠામાં રક્ષાબંધનની અનોખી ઉજવણી
ચડોતર ગામમાં રક્ષાબંધનને મનાય છે અશુભ
200 વર્ષની પરંપરા જાળવી કરાય છે ઉજવણી
દેશભરમાં આજે રક્ષાબંધનનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે... ત્યારે બનાસકાંઠા જીલ્લાનું એક એવું ગામ કે જ્યાં રક્ષાબંધનના દિવસને અશુભ માનવામાં આવે છે...આથી એક દિવસ પૂર્વે આ પર્વની ઉજવણી કરાઈ....અહીં શનિવારે ભાઈએ બહેનને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી...એક દિવસ પહેલા રક્ષાબંધન મનાવવાનું કારણ ખૂબ જ રસપ્રદ છે.
કેમ રક્ષાબંધનને અશુભ માને છે ચડોતર ગામના લોકો?
છેલ્લા 200 વર્ષથી પરંપરા મુજબ રક્ષાબંધનના આગળના દિવસે ચડોતર ગામમાં ભાઈ-બહેન ના પવિત્ર બંધન રક્ષાબંધન મનાવવામાં આવે છે. ચડોતર ગામની લોકવાયકા મુજબ વર્ષો પહેલા આ ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને મોટા પ્રમાણમાં પશુ અને જાનમાલનું નુકશાન થયું હતું તેની દહેશતના પગલે ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.ત્યારે ગ્રામજનો એકત્ર થઈને ગામના પુજારી પાસે ગયા ત્યારે પુજારી એ ચડોતર ગામની સુખ અને સલામતી ના રક્ષણ માટે ગામની દીકરીઓને રક્ષાબંધનના એક દિવસ અગાઉ ભાઈને રાખડી બાંધવાનું સુચન કર્યું હતું.ત્યારથી આ પરંપરા આજે પણ ચડોતર ગામમાં યથાવત છે.
રિવાજ પ્રમાણે રક્ષાબંધનના આગળના દિવસે ઉજવણી કરી
રક્ષાબંધની ઉજવણી દેશભરમાં એક જ દિવસે થતી હોય છે....પરંતુ બનાસકાંઠાના એક ગામમાં રક્ષાબંધનની ઉજવણી પર્વના આગલા દિવસે કરવામાં આવે છે... પાલનપુરથી આઠ કી.મી. દુર આવેલ પાલનપુર તાલુકાનું ચડોતર ગામમાં રવિવારે નહીં પણ શનિવારે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.....શનિવારે આખા ગામની દીકરીઓએ ભાઈને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી...