IED બ્લાસ્ટ મતદાનથી પહેલા સવારેઆશરે 4 વાગ્યે નારાયણપુર એક બ્લાસ્ટની અવાજ થી ભડકી ઊઠ્યું, આ બ્લાસ્ટ એ સમયનો હચો જ્યારે આઇટીબીપીના જવાન મતદાન કરાવવા માટે બૂથ પર જઇ રહ્યા હતા. જો કે આ બ્લાસ્ટમાં કોઇ નુકસાન થયું નથી.
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત નારાયણપુર જિલ્લામાં નક્સલિઓએ ગુરુવારે સવારે મતદાનકર્મિઓના દળના નુકસાન પહોંચાજવા માટે બારુદી સુરંગમાં વિસ્ફોટ કર્યો. આ ઘટનામાં કોઇને નુકસાન થયું હોવાની માહિતી મળી નથી.
નારાયણપુર જિલ્લાના પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના ફરસગામ પોલીસ સ્ટેશન ક્ષેત્રના અંતર્ગત નારાયણ દંડવન માર્ગ પર આજે સવારે નક્સલીઓએ મતદાનકર્મીઓને નિશાનો બનાવીને બારુદ સુરંગમાં વિસ્ફોટ કર્યો.
અધિકારીઓએ જણાવ્યું કે નક્સલી આજે સવારે રસ્તામાં બારુદી સુરંગ લગાવીને મતદાનકર્મીઓની રાહ જોઇ રહ્યા હતા. પરંતુ અંતિમ સમયમાં સુરક્ષાદળોએ રસ્તો બદલી નાંખ્યો અને મતદાનકર્મીઓને જંગલના રસ્તેથી લઇ ગયા. ત્યારબાદ નક્સલીઓએ બોમ્બ વિસ્ફોટ કરી દીધો અને ત્યાંથી ભાગ ગયા.
આ ઘટનામાં કોઇ નુકસાન થયું નથી અને મતદાનકર્મીઓએ દળ સુરક્ષિત ત્યાંથી નિકળી ગયા. છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર લોકસભા ક્ષેત્રના માટે મતદાનનો પ્રારંભ થઇ ગયો છે.