રસીકરણ કર્યા બાદ મોબાઇલ પર મેસેજ અને ઓનલાઇન પ્રમાણપત્ર કરવામાં આવે છે. ત્યારે રાજ્યમાં કોરોના રસીકરણમાં મોટો છબરડો બહાર આવ્યો છે.
રસીકરણમાં ગંભીર બેદરકારી સામે આવી
રસી ન લીધી હોવા છતાં આવ્યો મેસેજ
ઓનલાઈન મેસેજ-પ્રમાણપત્ર આવ્યું
રાજ્યભરમાં રસીકરણનો બીજો રાઉન્ડ શરૂ છે. અને સાથે 60 વર્ષથી વધુ ઉંમરવાળા વ્યક્તિઓને રસી આપવાની કામગીરી શરૂ છે. રસીકરણ કર્યા બાદ મોબાઇલ પર મેસેજ અને ઓનલાઇન પ્રમાણપત્ર કરવામાં આવે છે. ત્યારે રાજ્યમાં કોરોના રસીકરણમાં મોટો છબરડો બહાર આવ્યો છે. અનેક લોકોએ રસી લીધી નથી તેમ છતાં તેઓના મોબાઇલ પર મેસેજ આવ્યા હતા. જેમાં રસી લીધી હોવાનો મેસેજ અને ઓનલાઇન પ્રમાણપત્ર આવતાં આશ્ચર્ય ઉભુ થયું છે.
અમદાવાદના ખોખરામાં પણ આવી ઘટના બની છે. ખોખરામાં રહેતા ઓમકાર ભાઈ શાહે રસી નથી લીધી છતાં રસી લીધાનું પ્રમાણપત્ર આપી દેવાયું. રસી લીધી હોવાના મેસેજ આવતાં રસીકરણની ટકાવારી વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો લાગી રહ્યા છે.