એલન મસ્કનાં આવવાથી ટ્વીટરનાં સીઈઓ તરીકે પરાગ અગ્રવાલની નોકરી પર ખતરો આવી શકે છે. જાણો વિગતવાર
એલન મસ્કનાં આવવાથી પરાગ અગ્રવાલની નોકરીને ખતરો
જેક ડોર્સીનાં ફરી આવવાની અટકળો
પરાગ અગ્રાવાલને મળી શકે છે કરોડો રૂપિયા
ટેસ્લાનાં માલિક એલન મસ્ક માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટરને 44 અરબ ડોલરમાં ખરીદી ચુક્યા છે. જ્યારથી ટ્વીટરને એલન મસ્કે ખરીદ્યું છે, ત્યાર બાદથી જ કંપનીમાં બદલાવોની શરૂઆત થઇ ગઈ છે. ઘણા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે. આ દરમિયાન સમાચારો આવી રહ્યા છે કે એલન મસ્કનાં ટ્વીટરમાં આવતા જ સૌથી પહેલા કંપનીનાં સીઈઓ પરાગ અગ્રવાલની નોકરી ખતરામાં પડી શકે છે.
એક અજ્ઞાત સોર્સ દ્વારા આ જાણકારી પ્રાપ્ત થઇ છે. આ જાણકારી અનુસાર મસ્કે ટ્વીટર માટે નવા કાર્યકારી અધિકારી સાથે વાત કરી છે. જેવી જ કંપનીનાં વહેંચાણની પ્રક્રિયા સમાપ્ત થશે, નવી વ્યક્તિ હાજર સીઈઓની જગ્યા લઇ લેશે એટલે કે પરાગ અગ્રવાલની નોકરી ખતરામાં છે.
કોણ બનશે ટ્વીટરનાં નવા સીઈઓ
જ્યારે એક મોટો સવાલ એ ઉઠે છે કે આખરે કોણ બનશે ટ્વીટરનાં નવા સીઈઓ? અત્યાર સુધીમાં આ વિષે કોઈ જાણકારી પ્રાપ્ત થઇ નથી. એવી અટકળો લગાવાઈ રહી છે કે એક વાર ફરી જેક ડોર્સીની વાપસી થઇ શકે છે. રિપોર્ટ અનુસાર, મસ્કને જુના મેનેજમેન્ટ પર ભરોસો નથી, એટલા માટે તેઓ તેમાં ફેરફારો કરવાની યોજનાઓ બનાવી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે જેવું જ કંપનીના વહેંચાણનું કામ પૂરું થશે, ત્યાર બાદ તરત જ ટ્વીટરમાં ફેરફારો શરુ થઇ જશે.
પરાગ અગ્રવાલનું શું થશે?
ભલે પરાગ અગ્રવાલે મસ્કનાં આવ્યા બાદ નોકરી ગુમાવવી પડે, પરંતુ જતા જતા પણ તેમને કરોડો મળશે. જેક ડોર્સીનાં ગયા બાદ જ્યારે પરાગ અગ્રવાલને કંપનીનાં સીઈઓ બનાવવામાં આવ્યા હતા, તો કોન્ટ્રેક્ટ અનુસાર, કંપની તેમને 12 મહિના પહેલા નોકરીથી ન કાઢી શકે. આમ જો કંપની આવું કરે છે તો પરાગ અગ્રવાલને લગભગ 296 કરોડ રૂપિયા મળશે.