નર્મદા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. જેમાં ખાસ કરીને નર્મદના નાંદોદ અને કેવડિયા પંથકમાં બે ઇંચ જેટલો વરસાદ થતા આ વરસાદની સીધી અસર સ્ટેચ્યુ ઓફ યુનિટી પર થઈ રહી છે. જેમાં હકીકત એવી છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુમાં જ્યારે પણ ધોધમાર વરસાદ પડે છે ત્યારે 182 મીટર ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની વ્યુઇંગ ગેલેરીમાં વાંછંટના કારણે પાણી અંદરના ભાગે પડે છે. જેથી વ્યુઇંગ ગેલેરીમાં વધુ માત્રામાં પાણી ભરાય છે.
જોકે આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEOના કહેવા મુજબ આ સ્ટેચ્યુમાં આ જ રીતે ડિઝાઈન બનાવવામાં આવી છે કે પ્રવાસીઓ આ વ્યુ ગેલેરીમાંથી ડેમનો નજારો જોઈ શકે, ભારે પવનના કારણે વરસાદનું પાણી આવી ગયું છે અને જેના નિકાલ માટે એક ચેનલ પણ બનાવવા આવી છે.
પ્રતિમાની વ્યૂઇંગ ગેલેરીની અંદર પવન દ્વારા વરસાદી પાણી ફૂંકાય છે. પ્રવાસી નયન રમ્યા દૃશ્યોનો આનંદ મણિ શકે તે હેતુ થી ગેલેરીની રચના કરવામાં આવી છે. ભરાયેલા પાણી નું મૈનટૈનેન્સ ટીમ તુરંત નિકાલ કરી રહી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂગેલેરીમાં પાણી ભરાવાના મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ છે કે સ્ટેચ્યું ઓફ યુનિટી વિશે મારી પાસે હાલ વિગત નથી. કોઈ ખામી હશે તેની ચકાસણી કરીશું, જરૂર પડશે તો રીપેરીંગ પણ કરીશુ.
મોટી દુર્ઘટના બની તો કોણ જવાબદાર?
આ સ્ટેચ્યુ બનાવનાર એલ.એન.ટી કંપની કદાચ એ ભૂલી ગઈ કે આ ગેલેરીના વાંછટનું પાણીનો નિકાલ ક્યાં કરવો પણ પરિસ્થિતિ એવી ઉભી થઇ કે વરસાદનું પાણી વ્યુઇંગ ગેલેરીમાં વધતું ગયું અને પાણી નીચે ગેલેરી સુધી ટપકવા લાગ્યું. જોકે પ્રવાસીઓ માટે બનાવેલ મુખ્ય ગેલેરી સંપુર્ણ એસી હોય જો ઉપરથી ટપકતા પાણીને લઈને કોઈ મોટી દુર્ઘટના બની તો કોણ જવાબદાર? માટે આ પાણીનો નિકાલ માટે જરૂર કોઈ ચોકકસ નિકાલ કરવો રહ્યો.
સ્ટેચ્યુના અંદરનો ભાગ થશે ડેમેજ
અત્રે ઉલ્લેખનીય છે કે 157 મીટર ઉંચાઈએ આવેલ વ્યુઇંગ ગેલેરી પ્રતિમાની આગળ અને પાછળ બંને બાજુ ખુલી છે. જો બંને બાજુએથી પાણી ભરાતા સ્ટેચ્યુના અંદરનો ભાગ ડેમેજ કરે એ વાત ચોક્કસ છે. પરંતુ જો બહારના ભાગે હવા પાણી અને મૌસમની તકેદારી રાખી હોય તો અંદરના ભાગેથી આ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા રક્ષણ વગર કેમ રહી એ પણ જાણવું જરૂરી બની ગયું છે.
જોકે આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEOના કહેવા મુજબ આ સ્ટેચ્યુમાં આજ રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે પ્રવાસીઓ આ વ્યુ ગેલેરીમાંથી ડેમનો નજારો જોઈ શકે. ભારે પવનને કારણે વરસાદનું પાણી આવી ગયું છે. જેના નિકાલ માટે ત્યાં એક નાની ચેનલ ગટર બનાવવા આવી જ્યાંથી પાણી બહાર જતું રહે છે. જોકે આ બાબતે VTV ન્યૂઝ સૌ પ્રથમવાર સવારે 7 કલાકે અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ તંત્ર દ્વારા તમામ કર્મચારીઓને કામે લગાડી જે પાણી વ્યુ ગેલેરીમાં આવ્યું જેને બહાર કાઢવામાં લગાડી દેવામાં આવ્યા હતા.
ત્યારે VTV ન્યુઝના અહેવાલ બાદ તંત્ર જાગ્યું તો જ્યારે આ સ્ટેચ્યુ બનાવવા માટે અનેક પ્રકારના સર્વે કરવામાં આવ્યા હતા. ત્યારે આ પાણી આ ગેલેરીમાં આવશે જેનું ધ્યાન કેમ ન આવ્યું ?