સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ સાથે જ તેઓ સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાને પણ મળ્યા હતા.
અદાર પૂનાવાલાએ શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી
બાળકો માટેની વેક્સિન 2022ના પહેલા ત્રણ મહીનામાં આવી જશે
અત્યાર સુધી 44.42 કરોડ કોવિશિલ્ડના ડોઝ આપવામાં આવ્યા
અદાર પૂનાવાલાએ શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી
સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ સાથે જ તેઓ સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાને પણ મળ્યા હતા. નવી દિલ્હીમાં આ પછી મીડિયા સાથે વાત કરતાં અદાર પૂનાવાલાએ કહ્યું કે કેન્દ્ર સરકારે હંમેશા મદદ કરી છે. સાથે જ બધા જ સહયોગ માટે અમે પ્રધાનમંત્રી મોદીનો પણ આભાર માનુ છું.
બાળકો માટેની વેક્સિન 2022ના પહેલા ત્રણ મહીનામાં આવી જશે
તેમણે કહ્યું કે કોઈ પણ આર્થિક સંકટ છે નહીં, સરકાર પણ મદદ કરી રહી છે અને અમે આશા રાખીએ છીએ કે ઓકટોબર સુધીમાં વયસ્કો માટે બજારમાં કોવોવેક્સ વેક્સિન આવી જશે. પૂનાવાલાએ આગળ કહ્યું કે અમે સતત વેક્સિનનું ઉત્પાદન વધારાવાના પ્રયાસ કરી રહ્યા છીએ. વધુમાં તેમણે કહ્યું કે અમને આશા છે કે બાળકો માટેની વેક્સિન 2022ના પહેલા ત્રણ મહીનામાં આવી જશે.
અત્યાર સુધી 44.42 કરોડ કોવિશિલ્ડના ડોઝ આપવામાં આવ્યા
બીજી બાજુ સરકારે શુક્રવારે વાત કરી કે લોકસભામાં એ સૂચિત કર્યું છે કે કોવિશિલ્ડ રસીનું માસિક ઉત્પાદનણી ક્ષમતા 11 કરોડ ડોઝથી વધારીને 12 કરોડથી પણ વધુ કરી, કોવેક્સિનણી ક્ષમતા દર મહિને અઢી કરોડથી વધારી લગભગ 5.8 કરોડ કરવામાં આવશે. સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી ભારતી પવારે કહ્યું કે સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 16 જાન્યુઆરીથી લઈ પાંચ ઓગસ્ટ સુધી 44.42 કરોડ કોવિશિલ્ડના ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે ભારત બાયોટેકે આ સમયગાળામાં 6.82 કોવેક્સિનના ડોઝ આપવામાં આવ્યા.