કોરોના વાયરસ લૉકડાઉન વચ્ચે સોમવારે ઘરેલૂ ફ્લાઇટને શરૂ કરવાની તૈયારી છે પરંતુ હજુ પણ તેની સાથે જોડાયેલા નિયમોને લઇને રાજ્યોમાં ભ્રમની સ્થિતિ છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુએ યાત્રાળુ ફ્લાઇટને ફરીથી શરૂ કરવાની કેન્દ્ર સરકારની યોજનાને લઇને ચિંતા દર્શાવી છે.
કોરોના વાયરસ લૉકડાઉન વચ્ચે સોમવારે ઘરેલૂ ફ્લાઇટને શરૂ કરવાની તૈયારી
મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુએ ફ્લાઇટને ફરીથી શરૂ કરવાને લઇને ચિંતા દર્શાવી
આ રાજ્યોમાં દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એરપોર્ટ આવેલા છે. ત્યારે મહારાષ્ટ્ર સરકારે શનિવારે તેને લઇને પોતાનુ વલણ સ્પષ્ટ કર્યું છે.
મહારાષ્ટ્ર સરકારે શનિવારે કહ્યું કે રાજ્ય સરકારે 19 મેએ પોતાના લૉકડાઉન સંબંધિત આદેશમાં સંશોધન કર્યું નથી. આ આદેશમાં માત્ર વિશેષ ફ્લાઇટને મંજૂરી અપાઇ છે. આ એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે મહારાષ્ટ્ર વધારે લોકોના રાજ્યમાં આવવાને લઇને ઉત્સાહિત નથી. મહારાષ્ટ્ર કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે.
મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે પોતાના ટ્ટિટમાં કહ્યું, 'રેડ ઝોનમાં એરપોર્ટ ખોલવાની સલાહ બિન સમજદારીભર્યું છે. યાત્રાળુઓની માત્ર થર્મલ તપાસ કરવી અને લાળના નમૂના ન લેવા અપુરતી ગણાશે. વર્તમાન પરિસ્થિતિઓમાં ઓટો-કેબ-બસ ચલાવવી અસંભવ છે. સંક્રમણના દર્દીના આવવાથી રેડ ઝોન પર દબાણ વધી જશે.
મહારાષ્ટ્ર ઉપરાંત તમિલનાડુએ આ પ્રકારની ચિંતા દર્શાવતા નાગરિક ઉડ્ડયન મંત્રાલયને યોજનાને 31 મે સુધી ટાળવાનો આગ્રહ કર્યો છે. કોરોના સંક્રમણના કેસના હિસાબે તમિલનાડુ દેશનું બીજુ સૌથી પ્રભાવિત રાજ્ય છે.
જ્યારે પશ્ચિમ બંગાળે પણ વાવાઝોડા અમ્ફાનથી થયેલી તારાજીનો હવાલો આપતા કોલકાતાની ફ્લાઇટો પર ઓછામાં ઓછી 30 મે સુધી રોક લગાવવાની અપીલ કરી છે. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે તે 30 મે સુધી ફ્લાઇટોને બાગડોગરા એરપોર્ટ પર મોકલવા માટે કેન્દ્રને પત્ર લખશે. નોંધનીય છે કે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ શનિવારે સંકેત આપ્યા છે કે જૂન મધ્યથી આંતરરાષ્ટ્રીય ફલાઇટો પણ શરૂ કરી શકાશે.