કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું કે મોદી સરકારની ઝીરો વેક્સિન નીતિ ભારત માતાની છાતીમાં ખંજર મારવા સમાન છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર સાધ્યું નિશાન
બે ટ્વિટ કરીને મોદી સરકારને અડફેટે લીધી
ઝીરો વેક્સિન નીતિ ભારત માતાની છાતીમાં ખંજર મારવા સમાન
રાહુલે કહ્યું એક માણસ અને તેમનો અહંકાર
પ્લસ એક વાયરસ અને બીજા તેના સ્ટ્રેન
રાહુલ ગાંધીએ વેક્સિનના મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધતા બે ટ્વિટ કર્યાં. પહેલા ટ્વિટમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે મોદી સરકારની ઝીરો વેક્સિન નીતિ ભારત માતાની છાતીમાં ખંજર મારવાનું કામ કરી રહી છે. બીજા ટ્વિટમાં રાહુલે કહ્યું કે એક માણસ અને તેમનો અહંકાર પ્લસ એક વાયરસ અને બીજા તેના સ્ટ્રેન.
મોદી સરકારના અહંકારને કારણે 97 ટકા ભારતીયોની આવકમાં ઘટાડો થયો
રાહુલ ગાંધીએ જણાવ્યું કે કેન્દ્રીય નેતાગીરીના અહંકારે કારણે 97 ટકા ભારતીયોની આવકમાં મોટો ઘટાડો થયો છે. કોરોનાના વિવિધ સ્ટ્રેન આર્થિક તારાજીનું બીજું કારણ છે. રાહુલ ગાંધીએ એક રિપોર્ટ પણ શેર કર્યો જેમાં એવું દર્શાવાયું હતું કે કોરોનાની બીજી લહેરને નાથવા દેશના વિવિધ ભાગોમાં લાગુ પાડવામાં આવેલા લોકડાઉનને કારણે 97 ટકા લોકો ગરીબ બન્યા છે. રાહુલ ગાંધી દ્વારા શેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, કોરોનાની બીજી લહેરને કારણે દેશમાં રોજગારી પર મોટી અસર પડી છે. દેશમાં પગારદાર નોકરીઓની સંખ્યામાં ખૂબ મોટો ઘટાડો થયો હોવાનું પણ જણાવાય છે.
મહામારી સામે આવી રીતે લડી શકાય, રાહુલે મોદી સરકારને આપી હતી સલાહ
આ પહેલા પ્રધાનમંત્રી મોદીના રેડિયો પ્રોગ્રામ મનકી બાત પર કટાક્ષ કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે નિરર્થક ચર્ચા કરીને કોરોના મહામારી સાથે ન લડી શકાય. દેશ મહિનામાં એક વાર નિરર્થક ચર્ચા કરીને કોરોના મહામારી સાથે ન લડી શકે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું કે કોરોના સામે લડવા માટે આપણે સાચી નીતિ, તથા દ્રઢ નિર્ધાર હોવો જોઈએ. કોંગ્રેસ મહાસચિવ રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે મોદી સરકાર દેશ માટે હાનિકારક છે અને આ સાત વર્ષ સાત ગુનાહિત ભુલના છે.