કેન્દ્ર સરકારે કોરોનાને લઈને નવી અપડેટ જાહેર કરી છે. કેન્દ્ર તરફથી કોવિડથી પીડાતા દર્દીઓને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી કેસ વધારે ગંભીર ન હોય ત્યાં સુધી એન્ટીબાયોટિક્સ દવાઓનો ઉપયોગ ટાળવો જોઈએ.
કોવિડ પ્રોટોકોલમાં અપડેટ જાહેર
એન્ટિબાયોટિક્સનો વધારે ઉપયોગ ટાળવાનું સૂચન
ડોક્ટર્સને પણ આપવામાં આવ્યાં છે સૂચનો
દેશમાં વધી રહેલા કોરોનાનાં કેસને ધ્યાનમાં રાખતાં કેન્દ્રએ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં કહ્યું છે કે પુખ્ત વયનાં કોરોના દર્દીઓને ટ્રીટમેન્ટ માટે એન્ટીબોયટિક દવાઓ જેવી કે લોપીનાવીર-રીતોનાવીર. હાઈડ્રોક્લોરિન, આઈવરમેક્ટીન, ફેવિપીરાવીર, એઝિથ્રોમાસીન અને ડોક્સીસાયકલિન વગેરેનો ઉપયોગ થવો જોઈએ નહીં.
Antibiotics shouldn't be used in Covid unless suspicion of bacterial infection: Centre's guideline
એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ટાળવો
AIIMS ICMR કોવિડ-19 નેશનલ ટાસ્ક ફોર્સની મીટિંગ 5 જાન્યુઆરીનાં રોજ કોવિડ-19ની ગાઈડલાઈનમાં સુધારા કરવા માટે થઈ હતી. જેમાં ડોક્ટરોને પણ સૂચન કરવામાં આવ્યું છે કે ' શક્ય હોય ત્યાં સુધી કોનવાલેસેન્ટ પ્લાઝમા થેરેપી ટાળવી. નવાં કોરોના પ્રોટોકોલ અનુસાર એન્ટિબાયોટિક દવાઓનો ઉપયોગ ન કરવો જ્યાં સુધી દર્દીમાં બેક્ટેરિયલ ઈન્ફેક્શનની શંકા ન હોય એટલું જ નહીં કોવિડ-19નાં અન્ય પેટા વાયરસની શક્યતાઓ કે લક્ષણો પર પણ ધ્યાન આપવું જરૂરી છે.'
COVID-19 National Task Force under Ministry of Health and Family Welfare releases revised clinical guidance for the management of adult COVID-19 patients pic.twitter.com/HvaLtE7nTh
રેમડેસિવર અંગે જાણો શું કહ્યું?
ગંભીર રોગ કે જેમાં વધારો થવાની સંભાવના દેખાતી હોય તેવા સમયે રેમડેસિવરનો ઉપયોગ વધુમાં વધુ 5 દિવસ સુધી કરી શકાશે. જેમને મધ્યમ કે વધારે ગંભીર લક્ષણો હોય કે જેમનામાં રિસ્ક વધારે જોવા મળે (ઓક્સિજનની જરૂર હોય)પરંતુ IMV કે ECMO પર ન હોય તેવા દર્દીઓનાં લક્ષણનાં શરૂઆતી 10 દિવસમાં જ તે શરૂ કરવી જોઈએ.
શું કહ્યું આરોગ્ય મંત્રાલયે ?
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળની કોવિડ-19 નેશનલ ટાસ્ક ફોર્સે કોરોના વાયરસથી પીડિત પુખ્ત નાગરિકો માટે સુધારેલી ક્લિનિકલ માર્ગદર્શિકા જારી કરી છે.
નેશનલ ટાસ્ક ફોર્સના જણાવ્યા અનુસાર, એન્ટિ-વાયરલ દવાઓના ઉપયોગ અંગે, સુધારેલી માર્ગદર્શિકા લોપીનાવીર-રિતોનાવીર, હાઇડ્રોક્સીક્લોરોક્વિન (HCQ), આઇવરમેક્ટીન, મોલાનુપીરાવીર, ફેવિપીરાવીર, એઝિથ્રોમાસીન અને ડોક્સીસાઇકલિન જેવી દવાઓનો ઉપયોગ ન કરવાની ભલામણ કરે છે. COVID-19 પર નેશનલ મોનિટરિંગ ગ્રૂપ પુખ્ત COVID-19 દર્દીઓની સારવાર માટે પ્લાઝ્મા થેરાપીનો ઉપયોગ ન કરવાની સલાહ આપે છે.