કેન્દ્ર સરકારે ચીન અને યુરોપિય દેશોમાંથી કેસો વધવાના કારણે રાજ્યોને પત્ર લખીને સંક્રમણ ફરી વાર ફેલાઈ તેના માટે સતર્ક રહેવાના દિશા નિર્દેશ આપ્યા છે.
વિશ્વમાં ફરી એક વાર કોરોનાના કેસો વધ્યા
ભારત સરકાર એલર્ટ પર આવી
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપી આ સૂચના
ભારતમાં કોરોના વાયરસની સ્થિતિ સમગ્રપણે કંટ્રોલમાં છે. દેશમાં હાલના સમયમાં 30 હજારથી પણ ઓછા એક્ટિવ કેસ છે. પણ આ સમયે દક્ષિણ પૂર્વ એશિયા અને યુરોપિય દેશોમાં જે રીતે કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે, તેને જોતા ભારત સરકાર પણ એલર્ટમાં આવી છે. ગુરૂવારે કેન્દ્ર સરકારે ચીન અને યુરોપિય દેશોમાંથી કેસો વધવાના કારણે રાજ્યોને પત્ર લખીને સંક્રમણ ફરી વાર ફેલાઈ તેના માટે સતર્ક રહેવાના દિશા નિર્દેશ આપ્યા છે.
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચના
કોરોના સંક્રમણના ખતરાને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યોને/ કેન્દ્ર શાસિત પ્રદેશોના અધિક સચિવો, મુખ્ય સચિવોને પત્ર લખીને કોવિડ 19 સંક્રમણથી બચવા સાવધાની રાખવા નિર્દેશ આપ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે પોતાના પત્રમાં રાજ્યોને દરેક જગ્યાએ ફાઈવ ફોલ્ડ સ્ટ્રેટજી એટલે કે, ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ, રસીકરણ અને કોરોના નિયમોનું પાલન કરવા પર ધ્યાન આપવાના નિર્દેશ આપ્યા છે.
Union Health Secretary Rajesh Bhushan writes to all Addl Chief Secys, Principal Secys, Secys (Health) of all States/UTs, emphasizing that there should be a continued focus on the five-fold strategy, i.e., Test-Track-Treat-Vaccination and adherence to COVID Appropriate Behavior. pic.twitter.com/XIqkvXR1fF
સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પોતાના પત્રમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું કે, જો કોરોનાનો કોઈ વેરિએન્ટ ફેલાયો છે, તો સમયસર તેની ઓળખાણ કરો અને લોકોને કોરોના સંક્રમણથી બચવા માટે રસીકરણ માટે પ્રેરણા આપો. તેમણે કહ્યું કે, રાજ્યોને ફરી એક વાર લોકોને જરૂરી માર્ગદર્શન આપવાની જરૂર છે. તમામ જાહેર સ્થળો, સભાઓમાં સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવું જોઈએ.
મનસુખ માંડવિયાએ કરી હતી બેઠક
દક્ષિણ પૂર્વ એશિયા અને યુરોપના અમુક દેશોમાં કોરોનાના કેસોમાં આવેલા ઉછાળાને લઈને 16 માર્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એક હાઈ લેવલની બેઠક બોલાવી હતી. બેઠકમાં રાજ્યોમાં ઝડપી ટેસ્ટ અને દેખરેખ પર ધ્યાન આપવાનો નિર્દેશ આપ્યા હતા.
દેશમાં હાલ મોટી રાહત
આપને જણાવી દઈએ કે, હાલમાં દેશમાં કોરોનાના 29 હજાર 181 એક્ટિવ કેસ છે. કોરોનાથી સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં 4.24 કરોડથી વધારે લોકો સાજા થઈ ચુક્યા છે. જ્યારે મહામારીના કારણે સમગ્ર દેશમાં કુલ પાંચ લાખ 16 હજાર 281 લોકોના મોત થઈ ચુક્યા છે. રાહતની વાત એ છે કે, હાલ દેશમાં ફક્ત 0.40 ટકા જ સંક્રમણ દર છે.