તમામ વિવાદો પછી કેન્દ્ર સરકારે રાજ્યોને GST વળતરનો પ્રથમ હપ્તો આપ્યો છે. નાણા મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર, ગુજરાત, બિહાર, આસામ, દિલ્હી અને જમ્મૂ-કાશ્મીર સહિત 16 રાજ્ય અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોને 6,000 કરોડ રૂપિયા જમા કર્યાં છે.
મંત્રાલય તરફથી આપવામાં આવેલા એક નિવેદનમાં જણાવામાં આવ્યું છે કે, 'કેન્દ્ર સરકારે આજે 6,000 કરોડ રૂપિયા લોન લઇને 16 રાજ્યોને આપ્યાં છે.આ 16 રાજ્યમાં આંધ્ર પ્રદેશ, આશામ, બિહાર, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય, ઓડિશા, તામિલ નાડુ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ. આ સિવાય બે કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી અને જમ્મૂ-કાશ્મીરને પણ રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે.'
કેન્દ્ર સરકારે 5.19 ટકા વ્યાજ પર લીધી છે લોન
ખરેખર ગત અઠવાડિયે કેન્દ્ર સરકારે GST વળતરને લઇને વિપક્ષી દળો દ્વારા શાસિત રાજ્યની માગનો સ્વીકાર કરી લીધો હતો. તેઓની માંગ હતી કે કેન્દ્ર સરકાર પોતે લોન લઇને રાજ્યોને GST વળતર કરે.
નાણા મંત્રાલયના નિવેદન અનસુાર આ લોન 5.19 ટકા વ્યાજ પર લેવામાં આવ્યું છે અને તેના સમય માટે 3 થી 5 વર્ષ લેવામાં આવ્યાં છે. મંત્રાલયે કહ્યું કે તેઓ દર અઠવાડિયે રાજ્યોને 6,000 કરોડ રૂપિયા આપતાં રહેશે. નાણા મંત્રાલયે કહ્યું કે આ વ્યવસ્થાથી કેન્દ્રને નાણાકીય ખાધને અસર થશે નહીં અને રાજ્ય સરકારોને મૂડી લાભમાં તે જોવા મળશે.