પ્રધાનમંત્રી મોદીની 24 મીએ 14 કાશ્મીર નેતાઓ સાથે થનારી મોટી બેઠકમાં જમ્મુ કાશ્મીરના પૂર્ણ રાજ્યના દરજ્જાના મુદ્દે ચર્ચા થશે તેવું સૂત્રોએ જણાવ્યું છે.
24 મીએ 14 કાશ્મીરી નેતાઓ સાથે પ્રધાનમંત્રી મોદીની બેઠક
જમ્મુ કાશ્મીરના પૂર્ણ રાજ્યના દરજ્જાના મુદ્દે ચર્ચા થશે
ટૂંક સમયમાં જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપી દેવાશે-સૂત્રો
ટૂંક સમયમાં જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપી દેવાશે-સૂત્રો
આ ઘટનાક્રમથી પરિચિત સૂત્રોએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીરને ટૂંક સમયમાં પૂર્ણ રાજ્યનો દરજ્જો આપી દેવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી તથા ગૃહમંત્રી અમિત શાહે ભૂતકાળમાં જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની ખાતરી આપી હતી. જોકે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપવાના મુદ્દે કોઈ ચર્ચા નહીં થાય.
આ 14 નેતાઓને પ્રધાનમંત્રીએ 24 મી દિલ્હી બોલાવ્યા
પ્રધાનમંત્રીએ જે 14 નેતાઓને બેઠક માટે દિલ્હી બોલાવ્યાં છે તેમાં ચાર પૂર્વ મુખ્યમંત્રીઓ, ફારુક અબ્દુલા, તેમના પુત્ર ઉમર અબ્દુલા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ તથા પીડીપી નેતા મહેબૂબા મુફતી, પૂર્વ ઉપમુખ્યમંત્રી કોંગ્રેસ નેતા તારાચદ, પીપીપી લીડર હુસેન બેગ ભાજપ નેતા નિર્મલ સિંહ તથા કવિન્દ્ર ગુપ્તા, સીપીઆઈ નેતા મોહમ્મદ યુસુફ તારાગામી, જમ્મુ કાશ્મીર અપની પાર્ટી ચીફ અલ્તાફ બુખારી, પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ લોન, પેન્થર્સ પાર્ટીના ભીમસિંહ સામેલ છે.
બેઠકમાં કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરના અનેક મુદ્દા પર ચર્ચા કરશે
આ જાણકારી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે. આ બેઠકમાં કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીર સાથે જોડાયેલા અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા કરી શકે છે. વર્ષ 2019માં કલમ 370 ને ખતમ કરવા પર ઉભી થયેલી રાજનીતિક અવરોધને સમાપ્ત કરવા માટે પીએમનું આ પહેલુ મોટું પગલું છે. જમ્મુ કાશ્મીરના એક વરિષ્ઠ નેતાએ એક ચેનલને જણાવ્યું કે અમે આવનારા અઠવાડિયે એક બેઠક અંગે સૂચિત કરવામાં આવ્યા છે. જોકે અમે ઔપચારિક નિમંત્રણની રાહ જોઈ રહ્યા છીએ.