કોરોના કાળમાં નોકરી ગુમાવનાર ECSI સદસ્યો માટે રાહતની ખબર સામે આવી છે.
કેન્દ્ર સરકારે લીધો મહત્વનો નિર્ણય
નોકરી ગુમાવનારા લોકો માટે કામના સમાચાર
કોરોનામાં નોકરી ગુમાવનારને થશે લાભ
કેન્દ્ર સરકારે કોરોના કાળમાં નોકરી ગુમાવનાર કર્મચારી રાજ્ય વિમા નિગમ એટલે કે ECSI સદસ્યોને ત્રણ મહિનાનો પગાર આપશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભુપેન્દ્ર યાદવે શુક્રવારે આ વાતની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે તેમનું મંત્રાલય કોરોનાના કારણે જીવ ગુમાવનાર ECSI સદસ્યોના સ્વજનને આજીવન નાણાકીય મદદ આપશે.
38 કરોડ શ્રમિકોને રજીસ્ટ્રેશન કરાવવાનું છે
મીડિયા કર્મીઓ સાથે વાતચીતમાં યાદવે જણાવ્યું કે દરેક રાજ્યમાં શ્રમિક સંહિતા બનાવવા પર પણ કામ ચાલી રહ્યું છે. નવા શ્રમ કાયદાને લાગુ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ઘણા રાજ્યોએ પોતાનો કાયદો બનાવી લિધો છે. તેમણે જણાવ્યું કે શ્રમિકો સાથે જોડાયેલા 29 શ્રમ કાયદઓને ચાર શ્રમિક સંહિતાથી બદલી દેવામાં આવ્યા છે. ઈ-શ્રમ પોર્ટલ વિશે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે લગભગ 400 અનધિકૃત વેન્ડરોની શ્રેણિઓ બનાવવામાં આવી છે અને કોઈ પણ વેન્ડર પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. તેમણે કહ્યું કે સરકારનો લક્ષ્ય નિર્માણ ક્ષેત્ર, પ્રાવસી કાર્યબળ, સ્ટ્રીટ વેન્ડર અને ઘરેલુ કામગરો સહિત અન્ય અસંગઠિત ક્ષેત્રના 38 કરોડ શ્રમિકોને રજીસ્ટ્રેશન કરાવવાનું છે.
હોસ્પિટલોમાં સ્વાસ્થ્ય સુવિધાનો લાભ
આ મજૂરોને 12 વિશિષ્ટ અંકડા વાળું ઈ-શ્રમ કાર્ડ જાહેર કરવામાં આવશે. આગળ જઈને તે કાર્ડ દ્વારા મજૂરોને સામાજીક સુરક્ષાની યોજનાઓમાં શામેલ કરવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે ઈએસઆઈના દાયરામાં આવનાર કર્મચારીઓને ઈએસઆઈ કાર્ડ આધારથી લિંક થશે. ત્યાર બાદ નેક્સ ચરણમાં વન નેશન-વન રાશન કાર્ડની પર 'વન નેશન-વન ઈએસઆઈ કાર્ડ'ની દિશામાં આગેળ પગલા ભરવામાં આવશે. તે આકાર લેવા પર નિકટ ભવિષ્યમાં સંબંધિત કર્મચારી દેશને કોઈ પણ ભાગમાં ઈએસઆઈ અને સંબંધિત હોસ્પિટલોમાં સ્વાસ્થ્ય સુવિધાનો લાભ લઈ શકશે.
આ મહિને ઉત્તરાખંડમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે કર્મચારીઓ રાજ્ય વિમા નિગમના માધ્યમથી કર્મચારીઓને મળતી સ્વાસ્થ્ય સેવાઓને સુદ્ઢ કરવામાં આવશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્જ્ર યાદવની અધ્યક્ષતામાં થયેલી નિગમની 185મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે હેઠળ ઈએસઆઈના હોસ્પિટલોમાં જે સારવાર સુવિધાઓ ઉપલબ્ધ નથી. તેનો લાભ લેવા માટે દર્દીઓને પેનલમાં શામેલ સેવાઓ આપતી હોસ્પિટલમાં મોકલવામાં આવી શકે. જો કોઈ ક્ષેત્રમાં ઈએસઆઈની સુવિધા 10 કિલોમીટરથી વધારે દૂરી પર છે તો તેવી સ્થિતિમાં દર્દીઓ સુધી પેનલમાં શામેલ હોસ્પિટલો માટે સંપર્ક કરી શકે છે.