આસામ અને પશ્ચિમ બંગાળમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસે(Virus Positivity Shows Spike) કેન્દ્ર સરકારની ચિંતા વધારી દીધી છે.
આસામ અને પશ્ચિમ બંગાળમાં કોરોનાના કેસમાં ઉછાળો
કેન્દ્ર સરકારે આપી મોટી ચેવણી
દેશમાં હાલમાં 1.61 લાખ એક્ટિવ કેસ
કોરોનાના કેસોમાં વધારો અને સાપ્તાહિક સંક્રમણ દર અને ટેસ્ટિંગમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને, કેન્દ્રએ રાજ્યની સરકારોને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે કોવિડ ગાઈડલાઈન(Increase Testing, Enforce Covid Norms)ના કડક અમલીકરણ પર ભાર મૂકતા, તેમણે આ પરિમાણોની સમીક્ષા કરવાનું કહ્યું છે.
કેન્દ્રએ આપ્યા કડક આદેશ
26 ઓક્ટોબરના રોજ આસામ અને પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિક સચિવ આરતી આહુજાએ ગયા સપ્તાહ (ઓક્ટોબર 20-26)થી અઠવાડિયામાં નવા કેસોમાં વધારો અને ચેપના કેસ તરફ ધ્યાન દોર્યું હતું. છેલ્લા ચાર અઠવાડિયાથી 25 ઓક્ટોબર સુધી વધારાના પ્રારંભિક સંકેતો સામે આવ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ચેતવણી
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે 22 ઓક્ટોબરે પશ્ચિમ બંગાળને પત્ર લખ્યો હતો અને આ મહિનાની શરૂઆતમાં દુર્ગા પૂજા પછી કોલકાતામાં સંક્રમણના કેસોમાં વધારો થવા પર ચિંતા વ્યક્ત કરી હતી. આસામને લખેલા પત્રમાં, આહુજાએ જણાવ્યું હતું કે ગયા સપ્તાહ (ઓક્ટોબર 20-26) થી સાપ્તાહિક નવા કેસોમાં 41% વધારો થયો છે. છેલ્લા ચાર અઠવાડિયાથી સંક્રમણના પ્રસારમાં વધારો થવાના સંકેત પણ મળી રહ્યા છે. તે સપ્ટેમ્બર 28-ઓક્ટોબર 4 વચ્ચે 1.89% હતો, જે 19-25 ઓક્ટોબરની વચ્ચે વધીને 2.22% થયો હતો.
અઠવાડિયાથી ચિંતામાં થયો વધારો
ઉલ્લેખનીય છે કે, 28 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબરની વચ્ચે, રાજ્યમાં 1,64,071 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે 19 અને 25 ઓક્ટોબરની વચ્ચે, 1,27,048 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. સંક્રમણના મામલાઓમાં થયેલા વધારા વચ્ચે રાજ્યને તપાસ વધારવાની જરૂર છે. આસામમાં, બારપેટા અને કામરૂપ મેટ્રો જિલ્લાઓ કોવિડ -19 અને સાપ્તાહિક સંક્રમણના કેસોને લઈને ચિંતા વધી છે.
હાલમાં 1.61 લાખ એક્ટિવ કેસ
ભારતમાં કોરોનાની સ્પીડ સતત ધીમી થતી જોવા મળી રહી છે. આનું એક મુખ્ય કારણ મોટા પાયા પર ચાલી રહેલું રસીકરણ અભિયાન હોઈ શકે છે. ગત 24 કલાકમાં આંકડા પર જ ધ્યાન કરીએ તો 14 હજારની નજીક નવા મામલાની ખરાઈ થઈ છે. જો કે મોતના આંકડા હજું પણ ચિંતા વધારી રહ્યા છે. દેશમાં હાલમાં 1.61 લાખ એક્ટિવ કેસ છે.
24 કલાકમાં દેશમાં સંક્રમણના 14,313 નવા મામલા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ ગત 24 કલાકમાં દેશમાં સંક્રમણના 14,313 નવા મામલા સામે આવ્યા છે. સાથે જ આ મહામારીથી 594 દર્દીના મોત થયા છે. સાજા થનારાની વાત કરીએ તો 24 કલાકમાં 13, 545 દર્દી સાજા થયા છે. તે કાંતો સ્વસ્થ થઈ ચૂક્યા છે અથવા ફરી તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ ચૂકી છે.
સાજા થનારાનો રેટ 98.19 ટકા
કોરોના રસીકરણની વાત કરીએ તો દેશમાં અત્યાર સુધીમાં 105.43 ડોઝ અપાઈ ચૂક્યા છે. ત્યારે સાજા થનારાનો રેટ 98.19 ટકા છે. અત્યાર સુધી દેશમાં કુલ 3,36, 41, 175 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે. એક્ટિવ કેસ પણ 1 ટકાથી સતત નીચે બનેલો છે. હાલમાં આ 0.47 ટકા છે. જે માર્ચ 2020 બાદ સૌથી ઓછો છે.