ભારતમાં અત્યારે કોરોના ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયું છે. ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધતો જઈ રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 29 કેસ નોંધાયા છે. જેમાંથી એકનું મોત થયું છે. આ સ્થિતિ અને કોરોના મહામારીને જોતાં અસરગ્રસ્ત ક્ષેત્રોમાં કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આર્થિક બેલઆઉટ પેકેજની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચાર દિવસ પહેલા રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના નેતૃત્વમાં સ્પેશિયલ ટાસ્કફોર્સ બનાવવાની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોવિડ-19 આર્થિક પ્રતિસાદ ટાસ્ક ફોર્સ પરિસ્થિતિનું અવલોકન કરશે અને પછી સૂચનો આપશે.
કોરોના વાયરસના કેસ ગુજરાતમાં વધતાં જઈ રહ્યાં છે
સરકાર આ વાયરસને હરાવવા એક પછી એક પગલાં લઈ રહી છે
હવે અસરગ્રસ્ત ક્ષેત્રોમાં ટૂંક સમયમાં આર્થિક બેલઆઉટ પેકેજની જાહેરાત થઈ શકે છે
In view of the spread of novel #CoronaVirus in India, its declaration as pandemic by the WHO, and decision of Government of India to treat this as notified disaster, it is hereby clarified that spending of CSR funds for COVID-19 is eligible CSR activity. #IndiaFightCoronapic.twitter.com/XQneNBaJe8
નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે પણ જાહેરાત કરી છે કે, કોવિડ-19 સામે લડવા માટે આપવામાં આવતા દાનને 'કોર્પોરેટ સામાજિક જવાબદારી' તરીકે ગણવામાં આવશે. તેમણે ટ્વિટર પર જણાવ્યું કે, ભારતમાં નોવેલ કોરોના વાયરસ (#CoronaVirus)ના ચેપને ધ્યાનમાં રાખીને, ડબ્લ્યુએચઓએ તેને વૈશ્વિક મહામારી જાહેર કરી છે અને ભારત સરકાર દ્વારા તેને એક અધિસૂચિત સંકટ માનીને તેની સામે લડવાનો નિર્ણય લીધો છે. COVID-19 માટે સીએસઆર ફંડ્સનો ઉપયોગ કરવું એ સીએસઆર પ્રવૃત્તિનો ભાગ માનવામાં આવશે. #IndiaFightCorona
તમને જણાવી દઈએ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે લોકોને લોકડાઉનને ગંભીરતાથી અનુસરવાની અપીલ કરી હતી અને રાજ્ય સરકારોને તેઓ નિયમો અને કાયદાઓનું પાલન કરે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. મોદીએ ટ્વિટ કર્યું હતું કે, ઘણાં લોકો હજી પણ લોકડાઉનને ગંભીરતાથી લઈ રહ્યા નથી. કૃપા કરીને તમારી જાતને બચાવો, તમારા પરિવારને બચાવો, સૂચનાઓને ગંભીરતાથી અનુસરો. પ્રધાનમંત્રીએ કહ્યું, "હું રાજ્ય સરકારોને વિનંતી કરું છું કે નિયમો અને કાયદાઓનું પાલન કરાવો."
કર્ફ્યુના એક દિવસ પહેલા, કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને એવા 75 જિલ્લાઓમાં ફક્ત આવશ્યક સેવાઓ જ ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે જ્યાં કોરોનાના કેસ પોઝિટિવ આવ્યા છે અથવા તો લોકોના કોરોનાને કારણે મોત થયા છે.