સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સોશ્યલ મીડિયાના દુરપયોગ પર રોક લગાવવા માટે દિશા-નિર્દેશ જાહેર કરવાની સમય મર્યાદા જણાવવાનું કહ્યું છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે કેન્દ્ર સરકાર જણાવે કે સોશ્યલ મીડિયાનો દુરપયોગ અટકાવવા માટેની ગાઈડલાઈન્સ ક્યાં સુધીમાં લાગુ થશે.
સુપ્રીમની કેન્દ્ર સરકારને ટકોર
સોશ્યલ મીડિયાનો દુરપયોગ અટકાવવાને લઇ કર્યો સવાલ
કોર્ટે કહ્યું કે સોશ્યલ મીડિયા પર મેસેજ અને માહિતી ઉપલબ્ધ કરનારાની ઓળખ મેળવવી એ એક ગંભીર મુદ્દો છે અને આ માટે એક નીતિ બનાવવાની જરૂર છે.
Supreme Court says, we can't get away by saying that we don't have a technology to track originators of online crime, if there is a technology to do it, then there is a technology to stop it. https://t.co/wIhiNAk7nz
સુપ્રીમ કોર્ટે સોશ્યલ મીડિયાના દુરપયોગ પર ચિંતા જતાવતા કહ્યું કે દેશમાં સોશ્યલ મીડિયાનો દુરપયોગ થઈ રહ્યો છે જે ખતરનાક બાબત છે. સરકારે જલ્દીથી તેને નિપટવા માટે કોઈ મજબૂત પગલાં ઉઠાવવા પડશે.
સરકાર લાવે ગાઇડલાઇન્સ : SC
સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું કે ટૅકનોલોજી ખાસ કરીને સોશ્યલ મીડિયાનો દુરપયોગ ખતરનાક સ્તર પર પહોંચી ગયો છે અને હવે સરકારે તેમાં દખલ કરવી જ પડશે. કોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ આ મુદ્દા પર નિર્ણય લેવામાં સક્ષમ નથી અને સરકાર જ છે જે આ મુદ્દે ગાઈડલાઈન્સ લાવી શકે છે.
Supreme Court seeks Centre’s affidavit within three weeks for giving a definite timeline to framing statutory guidelines to curb misuse of social media. pic.twitter.com/ActlLePTxR
સોશ્યલ મીડિયાના દુરૂપયોગ અંગે જસ્ટીસ દીપક ગુપ્તાએ ટિપ્પણી કરી હતી કે, 'સોશ્યલ મીડિયા પર લોકો AK47 પણ ખરીદી શકે છે. જસ્ટીસ દીપક ગુપ્તાએ કહ્યું હતું કે કોઈએ સ્માર્ટફોન છોડી દેવો જોઈએ અને ફરીથી ફીચર ફોન તરફ પાછા વળવું જોઈએ.