ભાવનગર / ઘોઘા-દહેજ રો-રો ફેરી પ્રોજેક્ટને લઇને કેન્દ્ર સરકારે લીધો મહત્વનો નિર્ણય

Centre set to take over beleaguered ghogha dahej ferry

ભાવનગરમાં ઘોઘા-દહેજ રો-રો ફેરી  પ્રોજેક્ટ અમલમાં નહોતો મુકાયો ત્યારથી ચર્ચામાં રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જહાજમાં બેસીને રો-રો ફેરીનું ઉદ્ધાટન કર્યું હતું. શહેરમાં ચાલી રહેલ ઘોઘા-દહેજ રોપેક્ષ ફેરી પ્રોજેક્ટને લઇને કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે ઘોઘા-દહેજ રોપેક્ષ ફેરી પ્રોજેક્ટને પોતાના હસ્તગત કરી લીધો છે. સરકાર દ્વારા ઘોઘા-દહેજ બાદ ઘોઘા-હજીરા વચ્ચે રોપેક્ષ સેવા શરૂ કરવાનું આયોજન વિચારવામાં આવી રહ્યું છે. જેને લઇને હજીરા ખાતે 600 મીટર વોટર ફ્રન્ટની જેટીનું નિર્માણ કરવામાં આવશે. 

બ્રેકિંગ ન્યૂઝ