ભાવનગરમાં ઘોઘા-દહેજ રો-રો ફેરી પ્રોજેક્ટ અમલમાં નહોતો મુકાયો ત્યારથી ચર્ચામાં રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જહાજમાં બેસીને રો-રો ફેરીનું ઉદ્ધાટન કર્યું હતું. શહેરમાં ચાલી રહેલ ઘોઘા-દહેજ રોપેક્ષ ફેરી પ્રોજેક્ટને લઇને કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે ઘોઘા-દહેજ રોપેક્ષ ફેરી પ્રોજેક્ટને પોતાના હસ્તગત કરી લીધો છે. સરકાર દ્વારા ઘોઘા-દહેજ બાદ ઘોઘા-હજીરા વચ્ચે રોપેક્ષ સેવા શરૂ કરવાનું આયોજન વિચારવામાં આવી રહ્યું છે. જેને લઇને હજીરા ખાતે 600 મીટર વોટર ફ્રન્ટની જેટીનું નિર્માણ કરવામાં આવશે.
ભાવનગરના ઘોઘા-દહેજ રોપેક્ષ ફેરી પ્રોજેકટ કેન્દ્રએ હસ્તગત કર્યો
ઘોઘા-દહેજ બાદ ઘોઘા હજીરા વચ્ચે રોપેક્ષ સેવા શરૂ કરવાનું આયોજન
દહેજમાં કાપની સમસ્યાને લઈને હજીરામાં નવી જેટી બનશે
ભાવનગરમાં ઘોઘા-દહેજ રોપેક્ષ ફેરી પ્રોજેકટ કેન્દ્ર સરકારે પોતાના હસ્તગત કર્યો છે. ઘોઘા-દહેજ બાદ ઘોઘા હજીરા વચ્ચે રોપેક્ષ સેવા શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. દહેજમાં કાપની સમસ્યાના કારણે હજીરામાં નવી જેટી બનશે.
હજીરામાં 600 મીટર વોટર ફ્રન્ટની જેટીનું નિર્માણ કરાશે. એમ્પાવર કમિટીએ હજીરાના સ્થળની ભલામણ કરી છે. ઘોઘાનું ટર્મિનલ પણ કેન્દ્રને ટ્રાન્સફર કરાશે.