દેશમાં કોરોના વધતા કેન્દ્ર સરકારે ફરી વાર તમામ રાજ્યોને નવા આદેશ આપ્યાં છે.
દેશમાં વધી રહ્યાં છે કોરોના કેસ
કેન્દ્ર સરકારના તમામ રાજ્યોને આદેશ
પહેલા, બીજા અને પ્રિકોશન ડોઝમાં ઝડપ લાવો
SARI અને ILI કેસોનું મોનિટર કરો
દેશમાં વધી રહેલા કોરોનાને પગલે કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ-19ની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયે કરેલી સમીક્ષા બેઠક બાદ તમામ રાજ્યોને કેટલાક આદેશ આપવામાં આવ્યાં હતા.
Centre reviews COVID-19 situation in 115 districts of 9 states showing an upsurge in COVID cases and positivity. Flags concerns regarding low levels of testing and vaccination. States to report and monitor district-wise SARI and ILI cases on a daily basis
વેક્સિનેશનમાં ઝડપ વધારો
સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને એવું જણાવ્યું કે તેમણે પહેલા, બીજા અને પ્રિકોશન ડોઝમાં ઝડપ વધારવી જોઈએ. સ્વાસ્થ્ય મંત્રાલયે ટેસ્ટિંગ અને વેક્સિનેશનમાં ઘટાડાને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી. સરકારે તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે જિલ્લા પ્રમાણે SARI અને ILI કેસોની દેખરેખ રાખીને તેનો રિપોર્ટ આપો.
Accelerate administration of ongoing free Covid-19 vaccination for 1st, 2nd, and Precaution Dose
9 રાજ્યોમાં 115 જિલ્લાઓમાં વધ્યા કોરોના કેસ
દેશના 9 રાજ્યોના 115 જિલ્લામાં કોરોના કેસ વધતા સરકારે સમીક્ષા બેઠક કરી હતી અને તેમને વેક્સિનેશનમાં ઝડપ વધારવાનો આદેશ આપ્યો હતો.
ભારતે 200 કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપ્યાં
વૈશ્વિક રોગચાળા કોરોનાવાયરસની રોકવા માટે દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ ભારતે 200 કરોડથી વધુ રસીના ડોઝનો રેકોર્ડ લાગુ કરીને નવા રેકોર્ડ બનાવ્યો છે. આમાં કોરોનાનો બીજો અને પ્રીકોશનનો ડોઝ પણ સામેલ છે. PM નરેન્દ્ર મોદીએ આ મોટી ઉપલબ્ધિ પર દેશના તમામ કોરોના વેક્સીન ઉત્પાદકોની પ્રશંસા કરતા તેમના નામે પત્ર લખ્યો છે. તમને જણાવી દઈએ કે ભારતે માત્ર 18 મહિનામાં 200 કરોડ વેક્સિન ડોઝ લગાવીને નવો રેકોર્ડ નોંધાવ્યો છે. ભારતમાં કોરોનાની રોકવા માટે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના રસીના બૂસ્ટર ડોઝ મફતમાં આપવામાં આવી રહ્યા છે.
PM મોદીએ પત્રમાં વખાણ કર્યા
PM મોદીએ પોતાના પત્રમાં લખ્યું છે કે, "કોવિડ-19 રસીકરણની અમારી સફર 16 જાન્યુઆરી 2021 નારોજ શરૂ થઈ હતી અને અમે 17 જુલાઈ 2022 ના રોજ આ રેકોર્ડ બનાવવામાં સફળ રહ્યા છીએ. તે દેશ માટે એક યાદગાર દિવસ છે. કારણ કે આ દિવસે લક્ષ્યાંક છે. રસીના 200 કરોડ ડોઝ સ્થાપિત કરવાનું સિદ્ધ થયું છે. વડાપ્રધાને આ વૈશ્વિક રોગચાળા દરમિયાન રસીકરણ અભિયાનમાં સામેલ લોકો, આરોગ્યસંભાળ કાર્યકરો, આરોગ્ય કર્મચારીઓ સહિત ફ્રન્ટલાઈન કાર્યકરોના કાર્યની પણ પ્રશંસા કરી હતી.