ખેડૂતોને કઠોળના સારા ભાવ મળે અને તેઓ વધારે કઠોળ વેચી શકે તે માટે સરકારે 40 ટકાની મર્યાદા દૂર કરી છે.
ખેડૂતો વધારે કઠોળ વેચી શકે તે માટે સરકારે મર્યાદા હટાવી
ખેડૂતો હવે વધારે દાળ સરકારને વેચી શકશે
પહેલા ફક્ત 40 ટકાની મર્યાદા હતી
એક મોટો નિર્ણય લેતા કેન્દ્ર સરકારે ખેડૂતોના હાથમાં બાજી સોંપી છે. કઠોળ (દાળ) પકવતા ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારના ઉપભોક્તા અને ખાદ્ય વિતરણ મંત્રાલયે 2023-24ના વર્ષ માટે પ્રાઈસ સપોર્ટ સ્કીમ હેઠળ તુવેર, અડદ અને મસૂરની દાળની ખરીદી પરની 40 ટકાની મર્યાદા દૂર કરી છે. આ મર્યાદા દૂર થઈ હોવાથી હવે ખેડૂતો ઈચ્છે તેટલું કઠોળ સરકારને વેચીને સારા ભાવ મેળવી શકશે.
In a significant step towards enhancing domestic production of pulses, the government has removed the procurement ceilings of 40% for tur, urad and masur under PSS operations for 2023-24.
ખરીફ અને આગામી રવી પાકોનું વાવેતર વધશે
સરકારના આ નિર્ણય બાદ આ ખરીફ સિઝન અને આગામી રવી સિઝનમાં આ દાળોનું વાવેતર વધશે. કેમ અત્યાર સુધી તો ખેડૂતો તેમની ઉપજના ફક્ત 40 ટકા જ સરકારને વેચી શકતા હતા પરંતુ હવે તેઓ 40 ટકાથી વધારે દાળ વેચી શકશે. ગ્રાહક બાબતોના મંત્રાલયે આ દિશામાં કઠોળના ઉત્પાદનમાં વધારો કરવા સૂચનાઓ જારી કરી છે. મંત્રાલયે કહ્યું કે કઠોળના ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે, 2023-24 ની સીઝન માટે ભાવ સપોર્ટ સિસ્ટમ હેઠળ તુવેર, અડદ અને મગની ખરીદીની મર્યાદા દૂર કરાઈ છે. તેનાથી ખેડૂતોને વિશ્વાસ થશે કે તેમના ઉત્પાદનની ખરીદી એમએસપી એટલે કે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) પર કોઈ પણ મર્યાદા વિના કરવામાં આવશે.
કઠોળની સંગ્રહખોરી પર પ્રતિબંધ
સરકારે એમએસપી પર દાળ ખરીદવાની આ ખાતરી આપ્યા બાદ ખેડૂતોને ખરીફ રવી સિઝનમાં વધુ વિસ્તારમાં અરહર, અડદ અને મગની દાળ વાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ પહેલા 2 જૂન 2023ના રોજ સરકારે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955 હેઠળ એક આદેશ જાહેર કર્યો હતો, જેમાં કઠોળના સંગ્રહખોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને કઠોળના ભાવોને અંકુશમાં લેવા માટે સ્ટોક મર્યાદા લાદવામાં આવી હતી. આ સ્ટોક લિમિટ, હોલસેલર્સ, રિટેલર્સ, લાર્જ ચેઇન રિટેલર્સ, મિલર્સ અને આયાતકારોને લાગુ પડશે. અગાઉ મે મહિનામાં સરકારે કઠોળની આયાત કરતા આયાતકારોને કસ્ટમ્સ ક્લિયરન્સ મળ્યા બાદ 30 દિવસની અંદર કઠોળ બજારમાં ઉતારવાની સૂચના આપી હતી.