કેન્દ્ર સરકારે ઓક્ટોબર 2020 થી અત્યાર સુધી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રુ.1 લાખ કરોડનું જીએસટી વળતર ચુકવ્યું છે.
નાણા મંત્રાલયે એક નિવેદન જારી કરીને જીએસટી વળતરની માહિતી આપી
23 રાજ્યો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશને 5,000 કરોડનો 17 મો હપ્તો જારી કરાયો
કેન્દ્ર અને રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો તરફથી આ સુવિધા દ્વારા બજારમાંથી ઋણ લેવાઈ રહ્યું છે.
નાણા મંત્રાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું કે 23 રાજ્યો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશને 5,000 કરોડનો 17 મો હપ્તો જારી કરાયો હતો. આ રકમ સાથે કુલ જીએસટી વળતરની રકમ એક લાખ કરોડ થઈ છે. બાકીના પાંચ રાજ્યો અરુણાચલપ્રદેશ, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ અને સિક્કીમમાં જીએસટીને કારણે આવકમાં કોઈ ફર્ક પડ્યો નથી. કેન્દ્ર સરકારે જીએસટીના અમલીકરણને કારણે આવકમાં 1.10 લાખ કરોડની અંદાજિત ખોટ પૂરી કરવા માટે ઓક્ટોબર 2020 માં રાજ્યો માટે લોન એકત્ર કરવા એક વિશેષ સુવિધા શરુ કરાવી છે.
કેન્દ્ર અને રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો તરફથી આ સુવિધા દ્વારા બજારમાંથી ઋણ લેવાઈ રહ્યું છે. નાણા મંત્રાલયે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ ઋણ સુવિધાના માધ્યમથી સરેરાશ 4.83 ટકાના વ્યાજ દર 1,00,000 કરોડ રુપિયાની રકમ ઉધાર લેવામાં આવી છે તેમાંથી 91,460 કરોડ રુપિયા રાજ્યોને જારી કરાયા છે અને 8,539.66 કરોડની રકમ ત્રણ કેન્દ્ર શાસિત રાજ્યો માટે જારી કરવામાં આવી હતી.