દેશમાં કોરોના કેસ વધતાં ફરી એક વાર કેન્દ્ર સરકારે સુધારિત ગાઈડલાઈન બહાર પાડી છે.
દેશમાં વધી રહ્યાં છે કોરોના કેસ
પુખ્ત વયના લોકો આવી રહ્યાં છે ઝપટમાં
તેમને માટે સરકારે બહાર પાડી ગાઈડલાઈન
કોરોના થાય તો શું કરવું, શું ન કરવું કહેવાયું
ભારતમાં કોરોનાની નવી લહેર શરુ થઈ હોવાનો સંકેત છે કારણ કે છેલ્લા કેટલાક સમયથી દેશના 6 રાજ્યોમાં ધીમી ગતિએ કોરોના કેસ વધી રહ્યાં છે અને આ વખતે મોટા લોકો તેની ચપેટમાં આવી રહ્યાં છે આવી સ્થિતિમાં તેમને માટે કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટ્રી હેઠળના નેશનલ ટાસ્ક ફોર્સે એક ક્લિનિકલ ગાઈડલાઈન બહાર પાડી છે જેમાં પુખ્ત વયના લોકોને શું કરવું અને શું ન કરવું તેની વિસ્તૃત સલાહ અપાઈ છે.
COVID-19 National Task Force under Ministry of Health and Family Welfare releases revised clinical guidance for the management of adult COVID-19 patients pic.twitter.com/HvaLtE7nTh
નેશનલ ટાસ્ક ફોર્સની ક્લિનિકલ ગાઈડલાઈન
નેશનલ ટાસ્ક ફોર્સે કોરોનાના પુખ્ત વયના દર્દીઓ માટે એક ક્લિનિકલ ગાઈડલાઈન્સ બહાર પાડી છે. ગાઈડલાઈન્સ અનુસાર, કોરોનાના ગંભીર અને હળવા લક્ષણો ધરાવતા લોકો માટે અલગ અલગ કામ કરવાની સલાહ અપાઈ છે.
6 રાજ્યમાં વધ્યાં કોરોના કેસ
કોરોનાનાં વધતાં મામલાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, ગુજરાત અને તેલંગાણાનાં મુખ્ય સચિવને ચિઠ્ઠી લખીને જરૂરી સાવચેતી અને કોવીડ વિરોધી ગાઈડલાઈનનું પાલન કરવાની સલાહ આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં ગાઈડલાઈન અનુસાર ટેસ્ટ કરાવવું, કોરોનાનાં કેસને સતત મોનિટર કરવું, નવા ફ્લૂ, વાયરસ કે ઈન્ફ્સૂએંઝાની મોનિટરિંગ, જીનોમ સીકેંસિંગ અને કોવિડ અનૂકુળ વ્યવહાર અને કોવિડ 19 પ્રોટોકોલનું પાલન કરવાનો આદેશ આપ્યો છે. આ રાજ્યોમાં કોરોનાનાં કેસો વધી રહ્યાં છે. જેના કારણે વાયરસ ફેલાવાનો રિસ્ક પણ વધી રહ્યો છે. ઈન્ફેક્શનને ફેલાતો અટકાવા માટે આ રાજ્યોમાં કોરોના ગાઈડલાઈન્સ ફોલો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.