કેન્દ્રની મોદી સરકાર રાજીવ ગાંધીના હત્યારાઓને મુક્ત કરવાને લઇને વિરોધ યથાવત રાખ્યો છે. કેન્દ્ર સરકારે મદ્રાસ હાઇકોર્ટમાં જણાવ્યું છે કે તામિલનાડૂના રાજ્યપાલ સમક્ષ કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. જેના કારણે રાજ્ય કેબિનેટના પ્રસ્તાવનું કોઇ મહત્વ રહેતું નથી. પૂર્વ પ્રધાનમંત્રી રાહુલ ગાંધીના સાત હત્યારાઓ છેલ્લા 28 વર્ષથી જેલમાં બંધ છે.
તામિલનાડૂના રાજ્યપાલ સમક્ષ કેન્દ્ર સરકારે વલણ કર્યું છે સ્પષ્ટ
ઉલ્લેખનીય છે કે 2018ના સપ્ટેમ્બરમાં તામિલનાડૂ વિધાનસભામાં રાજીવ ગાંધીના હત્યારાઓને છોડી મૂકવા માટે એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. જો કે રાજ્યપાલે અત્યાર સુધી આ અંગે કોઇ નિર્ણય લીધો નથી. જસ્ટિસ આર સુબેય્યા અને જસ્ટિસ આર પોનગિયપ્પનની ખંડપીઠ સમક્ષ એડિશનલ સોલિસીટર જનરલ જી રાજગોપાલનને સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે.
ખંડપીઠે સાત દોષિઓમાંથી એક નલિની એ અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં તેણીએ પોતાની કસ્ટડીને અમાન્ય કરવાની માગ કરી હતી. ખંડપીઠે બધા પક્ષોને સાંભળ્યા બાદ નલિનીની અરજી પર નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.