કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે ત્રણ કૃષિ કાયદાને બાદ કરતા બીજા કોઈ મુદ્દે ખેડૂતો ચર્ચા કરવા માંગતા હોય તો કેન્દ્ર સરકાર તેમની સાથે મંત્રણા માટે તૈયાર છું.
કૃષિ મંત્રીની મોટી જાહેરાત- MSP વર્તમાનમાં અને ભવિષ્યમાં ચાલુ રહેશે
એમએસપી પર સરકારની પ્રતિબદ્ધતાની વાત કરતા કૃષિ મંત્રીએ કહ્યું કે પાકોની હાલની ખરીદી ચાલુ રહેશે. કૃષિ મંત્રીએ જણાવ્યું કે જો ખેડૂતો કોઈ સૂચન લઈને આવે તો અમે તેમની સાથે ચર્ચા કરવા તૈયાર છીએ. તેમણે કહ્યું કે એમએસપી પર કોઈએ પણ ભ્રમમાં રહેવાની જરુર નથી, હાલમાં પણ એમએસપી છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. કૃષિ મંત્રીએ જણાવ્યું કે સરકાર સતત ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે.
રેલવે અંગે કેન્દ્રીય કેબિનેટે આ નિર્ણય લીધો
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટના બીજા નિર્ણયોની જાણકારી આપતા જણાવ્યું કે રેલવેને700 મેગાહર્ટ્સ બેન્ડમાં 5 મેગાહર્ટ્સ સ્પેક્ટ્રમની ફાળવણી કરવામાં આવશે. જેનાથી રેલવે તેની કમ્યુનિકેશન સિસ્ટમ સુધારી શકશે અને રેલ યાત્રાને વધારે સુરક્ષિત કરી શકશે.
તેમણે કહ્યું કે રેલવેમાં આધુનિકીકરણ અને 5 જી સ્પેક્ટ્રમ અમલીકરણ પર આગામી 5 વર્ષમાં 25,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે. કેબિનેટે રામાગુંડમ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડમાં સુધારાની સાથે નવી રોકાણ નીતિને પણ મંજૂરી આપી છે.