મોદી સરકારે ટાટા કમ્યુનિકેશનની તેની 26.12 ટકા હિસ્સેદારી વેચીને કુલ રુપિયા 8846 કરોડની કમાણી કરી છે.
DIPAM સચિવ તુહિન કાંત પાંડેએ આપી જાણકારી
સરકારે ટાટા કન્યુનિકેશનની તેની હિસ્સેદારીને બે ભાગમાં વેચી
સરકારે ટાટા કમ્યુનિકેશનની બધી 26.12 ટકા હિસ્સેદારી વેચી દીધી
કેન્દ્ર સરકારે તેના વિનિવેશ લક્ષ્યને આગળ ધપાવતા વધુ એક પગલું ભરી દીધું છે. સરકારે ટાટા કમ્યુનિકેશનની તેની તમામ હિસ્સેદારી બે ભાગમાં વેચી દીધી છે.
DIPAM સચિવ તુહિન કાંત પાંડેએ જણાવ્યું કે સરકારે ટાટા કન્યુનિકેશનની તેની હિસ્સેદારીને બે ભાગમાં વેચી છે. આ વેચાણથી સરકારને 8,846 કરોડ મળ્યાં છે.
આ રકમથી સરકારને ચાલુ નાણાકીય વર્ષમાં રોકાણ લક્ષ્ય પુરુ પાડવામાં મદદ મળશે. સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે વિનિવેશને સુધારિત કરીને ફક્ત 32,000 કરોડ રાખ્યું છે જે પહેલા 1.75 લાખ કરોડ હતું.
પાંડેએ ટ્વિટ કરીને જણાવ્યું કે ટીસીએલમાં સરકારની 16.12 ટકા હિસ્સેદારીનું વિનિવેશ ઓએફએસ દ્વારા કરીને 5,457 કરોડ રુપિયા ભેગા કરવામાં આવ્યાં. આ રીતે 10 ટકા હિસ્સેદારી અને રણનીતિ ભાગીદારને 3,389 કરોડ રુપિયામાં વેચવામાં આવી છે. આ રીતે સરકારને ટીએસીએલમાં હિસ્સેદારી વેચવાથી કુલ 8,846 કરોડ મળ્યાં છે.
ઉલ્લેખનીય છે કે આ વેચાણ પહેલા ટાટા કમ્યુનિકેશનમાં સરકારની હિસ્સેદારી 26.12 ટકા, પેન્ટોન ફિનવેસ્ટની હિસ્સેદારી 34.80 ટકા અને ટાટા સન્સની હિસ્સેદારી 14.07 ટકા હતા. બાકી બચેલી 25.01 ટકા હિસ્સેદારી શેરમાર્કેટના માધ્યમ દ્વારા સામાન્ય લોકો પાસે હતી.
સરકારે તેની બધી 26.12 ટકા હિસ્સેદારી વેચી દીધી
સરકારે તેની બધી 26.12 ટકા હિસ્સેદારી વેચી દીધી છે તેમાંથી 16.12 ટકા હિસ્સેદારી શેર માર્કેટમાં ઓપન સેલ દ્વારા 1,161 રુપિયા પ્રતિ શેરના ભાવથી વેચવામાં આવી. તેનો 25 ટકા ભાગ મ્યુચ્યુઅલ ફંડ અને વીમા કંપનીઓ માટે અનામત રખાયો હતો.