આર્થિક રૂપથી ગરીબ લોકો માટે 10 ટકા અનામતનો કેન્દ્ર સરકારનો નિર્ણય બે અકેડમિક સત્રમાં 2020 સુધી લાગુ થઇ જશે. પ્રાઇવેટ સંસ્થાઓમાં પણ આને લાગુ કરવાની મહત્વાકાંક્ષી યોજનાને લાગુ કરાવવાનું કામ આટલું સરળ ના હોઇ શકે. સરકારની આ યોજના અંતર્ગત પ્રાઇવેટ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ અનામતની વ્યવસ્થાને લાગુ કરવાનો છે.
કેન્દ્ર સરકારની યોજના છે કે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ અનિવાર્ય રીતે 49.5% અનામત (SC-ST OBC રિઝર્વેશન) લાગુ કરવામાં આવે. આ વર્ષે શરૂ થનાર નવા શૈક્ષણિક સત્રમાં આને લાગુ કરવામાં આવે.
સરકાર પાયલટ પ્રોજેક્ટ તરીકે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને પણ આ દાયરામાં લાવવા ઇચ્છે છે. સરકારની યોજના બંને રિઝર્વેશનને લાગુ કરાવવાની છે કે જેમાં જાતિ આધારિત અનામતની પહેલેથી જ વ્યવસ્થાની સાથે સંવિધાન સંશોધન કરીને લાગુ કરાઇ. હાલમાં આર્થિક આધાર પર અનામત પણ શામેલ છે.
સૂત્રોનું કહેવું એમ છે કે ખાનગી સંસ્થાઓને પોતાની વેબસાઇટ પર રિઝર્વેશનને આધારે દાખલાથી સંબંધિત ડિટેઇલ પોતાની વેબસાઇટ પર આપવા માટે કહેવામાં આવી શકે છે. વેબસાઇટ પર જાણકારી આપવાની સાથે આને લાગુ કરવાનાં નિર્દેશ પાલનની સૂચનાને માટે પણ કહેવામાં આવી શકે છે. વર્તમાન નિર્દેશોનું પાલન નહીં કરવાની દશામાં આ સંસ્થાઓ પર કાર્યવાહી પણ થઇ શકે છે.
હજી સુધી આને વિશેની કોઇ સ્પષ્ટ યોજના નથી કે આ સંસ્થાઓ પર પડનાર નાણાંકીય બોઝનું વહન કેવી રીતે થશે. આનું ફંડિંગ સરકાર તરફથી થશે અથવા તો સંસ્થાનો તરફથી. 93માં અને 103માં સંવિધાન સંશોધન અંતર્ગત ખાનગી સંસ્થાઓને પણ આનાં દાયરામાં રાખવામાં આવેલ છે પરંતુ અલગથી કાયદો અને પ્રક્રિયા નહીં થવાને કારણ હજી સુધી આનું સખ્તીથી પાલન નહીં થઇ શક્યું.