રાજ્ય સરકારે GAS કેડરના અધિકારીઓના પ્રમોશન માટે તેમના નામોની યાદી બનાવીને તેને UPSCને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં મોકલી હતી. જેમાંથી 12 અધિકારીઓને IAS તરીકે પ્રમોશન મળ્યું છે. નોંધનીય છે કે VTVGujarati.comએ આ સમાચાર 23 સપ્ટેમ્બરના રોજ જ આપી દીધા હતા.
કેન્દ્ર સરકારે ગુજરાતના 12 GAS કેડરના અધિકારીઓનું પ્રમોશન પ્રમોશન બહાલ કર્યું છે. આ અધિકારીઓમાં ડી.ડી.જાડેજા, આર.એમ.તન્ના, એ.બી.પટેલ, પી.આર.જોશી, કે.સી.સંપત, આર.એ.મેરજા, એમ.કે.દવે, પી.ડી.પલસાણા, એ. બી. રાઠોડ, એન. એન. દવે, વી. એન. શાહ, એસ. કે. પ્રજાપતિ જેવા અધિકારીઓનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે VTVGujarati.comએ આ સમાચાર 23 સપ્ટેમ્બરના રોજ જ આપી દીધા હતા. VTVGujarati.comના સુત્રો અનુસાર આ માહિતી મળતાની સાથે તેને સમાચાર સ્વરૂપે વાંચકો સાથે શેર કરવામાં આવી હતી.
કેવી રીતે અધિકારીની બઢતી નક્કી કરવામાં આવે છે?
મોટા ભાગે સામાન્ય વહીવટ એકમ (GAD) દ્વારા GAS કેડરના અધિકારીઓની આ સુચિ તૈયાર કરવામાં આવે છે જેઓ પ્રમોશન મેળવવાને પાત્ર છે. તેમના નામો રાજ્ય સરકારની ડીપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન કમિટી દ્વારા ચકાસવામાં આવે છે.
આ સાથે UPSC અને કેન્દ્રની મિનિસ્ટ્રી ઓફ પર્સનલ એન્ડ ટ્રેઈનીંગ દ્વારા આ અધિકારીઓ વિષે જાણકારી મેળવવામાં આવે છે અને તેમણે નક્કી કરેલા નામોને UPSCની ફાઈનલ મિટિંગમાં મુકવામાં આવે છે જ્યાં રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે મળીને UPSCના સત્તાધીશો તેમને યોગ્ય નામો નક્કી કરે છે.
જેટલા અધિકારીઓને અપૃવલ મળે છે તેમના નામો UPSC કેન્દ્ર સરકારમાં ડીપાર્ટમેન્ટ ઓફ ટ્રેઈનિંગ એન્ડ પર્સનલને પહોંચાડે છે જેઓ આ અંગે નોટીફીકેશન જાહેર કરે છે.