સાત મહીના સુધી રાહ જોયા બાદ અંતે કેન્દ્ર સરકારે મંગળવારે નાણાકીય વર્ષ 2018-19 માટે ઇપીએફ પર 8.65 ટકા વ્યાજદરને મંજૂરી આપી દીધી. કેન્દ્રના આ નિર્ણયથી 6 કરોડથી વધુ સક્રિય શેરહોલ્ડર્સને ફાયદો થશે.
ઇપીએફઓની પાસે માત્ર 151 કરોડ રૂપિયાનું સરપ્લસ
વ્યાજદરમાં 0.10 ટકાનો વધારો કરાયો
2017-18માં 586 કરોડ રૂપિયા સરપ્લસ, હવે માત્ર 151 કરોડ રૂપિયાનું સરપ્લસ
કર્મચારી ભવિષ્ચ નિધિ સંગઠન (EPFO) એ આ વર્ષે ફેબ્રુઆરીમાં નાણાકીય વર્ષ 2018-19 માટે ઇપીએફ પર 8.65 ટકા વ્યાજદર આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ નાણા મંત્રાલયથી મંજૂરી ન મળવાને કારણે આજ સુધી તેને સબસ્ક્રાઇબર્સના ખાતાઓમાં ક્રેડિટ કરાઇ શકાયા નહોતા. જોકે, ઇપીએફઓએ કહ્યું હતું કે નાણા મંત્રાલયથી ઔપચારિક મંજૂરી જોવાઇ રહી છે, કેમકે આ પ્રકારના વિલંબને કારણે ડિપોજિટ પર મળનારા રિટર્ન પર પ્રતિકૂળ અસર પડે છે.
વ્યાજદરમાં 0.10 ટકાનો વધારો
વ્યાજદરમાં 0.10 ટકાનો વધારો કરાયો છે. કેમકે નાણાકીય વર્ષ 2017-18માં તેના પર વ્યાજદર 8.55 ટકા હતો. નાણાકીય વર્ષ 2016-17માં પણ ઇપીએફ પર વ્યાજદર 8.55 ટકા જ હતો. કેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષ ગંગવારે મંગળવારે કહ્યું કે આ મહીનાની શરૂઆતમાં જ એમણે સીબીટીના નિર્ણયને પૂર્ણ કરવા પ્રત્યે આશ્વસ્ત કર્યા હતા. અને તેમના મંત્રાયલે હવે તેને અધિસૂચિત કર્યું છે.
ઇપીએફઓની પાસે હવે 151 કરોડનું સરપ્લસ
નાણાકીય વર્ષ 2018-19માં ઇપીએફ પર 8.65 ટકા વ્યાજદર આપ્યા બાદ ઇપીએફઓની પાસે માત્ર 151 કરોડ રૂપિયાનું સરપ્લસ રહ્યું છે. જે પહેલાના સ્તરથી ઓછું છે. નાણાકીય વર્ષ 2017-18માં તેમની પાસે 586 કરોડ રૂપિયા સરપ્લસ હતું.