કોવિડ-19 ના ફેલાવો અટકાવવા માટેના તમામ પગલાંઓ ભરાઈ રહ્યાં છે.
મોદી સરકારે 45 વર્ષથી ઉપરના તેના તમામ કર્મચારીઓને ફરજિયાતપણે કોરોના વેક્સિન લેવાનો આદેશ જારી કર્યો છે.
કાર્મિક મંત્રાલય દ્વારા જારી આદેશ અનુસાર, કર્મચારીઓને કોવિડ-19થી બચાવ માટેના દિશા-નિર્દેશોનું પાલન કરવાનું સૂચન કરાયું છે જેમાં સતત હાથ ધોવા, સેનેટાઈઝેશન, માસ્ક અથવા ફેસ કવર પહેરવું તથા સામાજિક અંતર સામેલ છે. સરકારી આદેશમાં કહેવાયું કે સરકાર સ્થિતિની ગંભીરતાથી દેખરેખ કરી રહી છે અને કોવિડ-19 ના ફેલાવો અટકાવવા માટેના તમામ પગલાંઓ ભરાઈ રહ્યાં છે.
રસીના કુલ; 43 લાખ ડોઝ આપવામાં આવ્યા
દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનને લઈને માહિતી આપતા કેન્દ્રીય સચિવે કહ્યું હતું કે ભારતમાં ગઈ કાલે રસીના કુલ; 43 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા,અને આના લીધે મંગળવાર સવાર સુધીમાં કુલ 8 કરોડ 31 લાખ લોકોનું રસીકરણ કરી શકાયું છે.
દેશના ચાર રાજ્યોમાં સૌથી વધુ પ્રભાવિત 10 જિલ્લાઓ
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે વધુંઆ કહ્યું હતું કે કોરોનાથી સૌથી વહુ ખરાબ રીતે પ્રભાવિત 10 જિલ્લાઓમાં છત્તીસગઢનું દુર્ગ પણ સામેલ છે, આ સિવાય મહરાષ્ટ્રના 7, કર્ણાટકનો એક અને દિલ્હી પણ સામેલ છે.
છેલ્લા 24 કલાકમાં 96,982 નવા કેસ
નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરમાં એક લાખની આસપાસ કોરોના કેસ સામે આવી રહ્યા છે અને વિવિધ રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂથી લઈને શાળાઓ બંધ કરી દેવા જેવા જુદા જુદા પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 96,982 નવા કેસ નોંધાયા છે. એક દિવસમાં 446 દર્દીઓના મોત થયા છે જ્યારે 50,143 સાજા પણ થયા છે.
મહારાષ્ટ્રમાંથી 58 ટકા કેસ
કોવિડ મામલે વધુ જાણકારી આપતા આરોગ્ય સચિવે કહ્યું હતું કે કોરોનાના કુલ કેસોના લગભગ 58 ટકા કેસ મહારાષ્ટ્રમાંથી જ છે, કોરોનાથી મોતના મામલે પણ મહારાષ્ટ્ર જ (34%) સૌથી આગળ છે. વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં અઠવાડિક સંક્રમણ દર પણ વધીને હવે 24 ટકા થઈ ગઈ છે, જે ચિંતાનો વિષય છે, મહત્વનું છે કે આની પહેલા આ રેટ ફેબ્રુઆરીમાં 6 ટકાએ પહોંચી ગયો હતો.