વિકાસની અને પ્રદુષણ મુક્ત નદીઓની વાતો કરનાર રુપાણી સરકારની પોલ ખૂલી ગઈ છે. ગઈ કાલે જ સ્વચ્છ સર્વેક્ષણ સર્વે 2020ના રિપોર્ટમાં સૌથી સ્વચ્છ સિટી તરીકે બીજા ક્રમે આવનાર સુરતની તાપી નદી પ્રદુષિત છે. જેને શુદ્ધ કરવા કેન્દ્ર સરકારે પૈસા ફાળવ્યા હતા. જોકે હજુ સુધી સરકાર આ અંગે કોઈ કામ કર્યુ નથી. તેમજ અમદાવાદની સાબરમતીના શુદ્ધીકરણનું કામ 2020 સુધીમાં પુરુ થવાનું હતું. 6 વર્ષ છતા તે શુદ્ધ થઈ નહોવાથી સરકાની પોલ ખુલી છે. આ બેદરકારી બદલ કેન્દ્ર સરકારે ગુજરાતને ફટકાર લગાવતો પત્ર લખ્યો છે.
સાબરમતી અને તાપી નદી ના શુદ્ધિકરણ મુદ્દે સરકારની ભ્રામક વાતોની પોલ ખોલી
કેન્દ્ર સરકાર દ્વારા સાબરમતી નદીને પ્રદુષણ મુક્ત કરવા 2014 માં 444 કરોડનું ફંડ આપવામાં આવ્યું
સાબરમતી નદીને પ્રદુષણ મુક્ત કરવા કરવાનો પ્રોજેક્ટ 2018 થી 2020 વચ્ચે પૂરો કરવાનો હતો
સાબરમતી અને તાપી નદીને પ્રદુષણ મુક્ત કરવામાં વિલંબ થયો છે. નદીઓને પ્રદુષણ મુક્ત કરવામાં વિલંબ માટે કેન્દ્ર સરકારે ગુજરાતને ફટકાર લગાવી છે. સાબરમતી અને તાપી નદીના શુદ્ધિકરણ મુદ્દે સરકારની ભ્રામક વાતોની પોલ ખોલી છે.
કેન્દ્ર સરકાર દ્વારા સાબરમતી નદીને પ્રદુષણ મુક્ત કરવા 2014 માં 444 કરોડનું ફંડ આપવામાં આવ્યું. જે અંતર્ગત સાબરમતી નદીને પ્રદુષણ મુક્ત કરવા કરવાનો પ્રોજેક્ટ 2018 થી 2020 વચ્ચે પૂરો કરવાનો હતો. જોકે તે હજુ સુધી પુરો થયો નથી. 6 વર્ષ પછી પણ પ્રોજેક્ટ પૂરો થયો ન હોવાથી કેન્દ્ર સરકારે ફટકાર લગાવી છે.
તાપી નદીના શુદ્ધિકરણ માટે 16 મહિના પહેલા ફંડ ફાળવવામાં આવ્યું હતુ. તાપી નદીના શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં પણ હાલ કોઈ પ્રગતિ નથી. પ્રોજેક્ટ પૂરો કરવામાં અસાધારણ વિલંબ માટે કેન્દ્ર એ રાજ્ય સરકારને પત્ર લખ્યો છે.