એક કાર્યકર્તાએ દાવો કર્યો છે કે સૂચનાના અધિકાર કાનૂન (RTI) હેઠળ પૂછવામાં આવેલ એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયની પાસે ટુકડે-ટુકડે ગેંગ અંગે કોઇ જાણકારી નથી.
ટુકડે-ટુકડે ગેંગનો જાપ કરી રહ્યાં છે ભાજપના નેતા
RTI હેઠળ પૂછવામાં આવેલા સવાલનો મળ્યો આ જવાબ
કેન્દ્રીય ગૃહમંત્રાલ પાસે આ અંગેની કોઇ જાણકારી નહીં
પોતાના ટ્વિટમાં એક્ટિવિસ્ટ સંકેત ગોખલેએ ગત મહિને ગૃહ મંત્રાલયને પૂછવામાં આવેલા સવાલના જવાબને જોડી દીધો છે. સંકતે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ટુકડે-ટુકડે ગેંગ સત્તાવાર રીતે ઉપસ્થિત નથી, પરંતુ આ માત્ર અમિત શાહની કલ્પનાનું એક અનુમાન માત્ર છે. જો કે આ મુદ્દો સ્વતંત્ર રીતે પ્રમાણિત કરવામાં આવ્યો છે કે નહી તે અંગેની કોઇ સત્તાવાર માહિતી પ્રાપ્ત નથી.
'ટુકડે-ટુકડે ગેંગ' એક શબ્દ છે જેનો ઉપયોગ માત્રને માત્ર દક્ષિણપંથી દળ (Right-Wing) વામ (Left-Wing) સમર્થિત સમૂહ અને તેમના સમર્થકો પર હલ્લાબોલ કરવા પ્રયોગ કરે છે. દિલ્હીના જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલય (JNU) ના એક કાર્યક્રમમાં કથિત રીતે રાષ્ટ્ર વિરોધી નારે લગાવ્યા બાદ 'ટુકડે-ટુકડે ગેંગ' શબ્દ આવ્યો હતો. આ દરમિયાન JNU વિદ્યાર્થી સંઘના પ્રમુખ કન્હૈયા કુમાર વિરુદ્ધ એક રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેણે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
ગત વર્ષે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ શબ્દનો વારંવાર ઉપયોગ કર્યો હતો. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન અમિત શાહે CAA વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો અંગે જણાવ્યું હતું કે હું કહેવા ઇચ્છુ છું કે કોંગ્રેસના નેતૃત્વવાળી ટુકડે-ટુકડે ગેંગને દંડિત કરવાનો સમય આવી ગયો છે.
આ મહિનાની શરૂઆતમાં ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના મુખ્યમંત્રી પર બે વખત આરોપ લગાવ્યો કે અરવિંદ કેજરીવાલે કન્હૈયા કુમાર અને અન્ય જે લોકોએ ભારત વિરોધી નારેબાજી કરી હતી તેમના વિરુદ્ધ કેસ ચલાવાની મંજૂરી આપી નહીં .
JNU કેમ્પસમાં થયેલા હુમલા બાદ સોશિયલ મીડિયામાં આ વિશ્વ વિદ્યાલયને લઇને આ મુદ્દા પર વારંવાર નિશાન સાધવામાં આવ્યું.