મોટર વ્હીકલ એક્ટના દંડની જોગવાઇમાં ફેરફાર મામલે રાજ્ય સરકારોને કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે આપી રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ચેતવણી આપતા કહ્યું કે, દંડની રકમમાં ફેરફાર કરવાનો રાજ્ય સરકારને અધિકાર નથી. ત્યારે શું કેન્દ્ર વિરૂદ્ધ જઈને ગુજરાતમાં દંડ ઘટાડવાનો નિર્ણય લેવાયો હતો?
કેન્દ્રના નિર્દેશનું પાલન ન કરનાર રાજ્યને કલમ 356 લાગુ પડી શકે
કલમ 356 અંતર્ગત રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય છે
રાજ્ય સરકારોને પત્ર લખી આપી ચેતવણી
ટ્રાફિક નિયમો તોડનારાઓ પાસેથી નવા મોટર વ્હિકલ એક્ટ-2019 અનુસાર વધારેલા દંડને ન વસૂલનારા રાજ્યોને કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ચેતવણી આપી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે દંડ લગાવવાની રકમ ઘટાડનારા રાજ્યોને સ્પષ્ટ કહ્યું છે કે, એવું કરવું તેના અધિકાર ક્ષેત્રમાં નથી. કેન્દ્ર નિયમોને સાઇડલાઇન કરી જે રાજ્ય પોતાને ત્યાં વધારેલ દંડ નથી વસૂલી રહ્યા, તેમાં ભાજપ શાસિત ગુજરાત, ઉત્તરાખંડ, કર્ણાટક અને આસામ સહિત સાત રાજ્યો સામેલ છે. અન્ય ત્રણ રાજ્ય ઝારખંડ, કેરળ અને મણિપુર છે. આ રાજ્યોને આ સંબંધમાં સોમવારે કેન્દ્ર સરકાર તરફથી પત્ર મોકલી દેવામાં આવ્યો છે.
તો શું કેન્દ્રની વિરુદ્ધ જઈને ગુજરાતમાં લેવાયો આ નિર્ણય, કેન્દ્રએ આપી ચેતવણી
કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારના કાયદાને સાઇડલાઇન કરી દંડ ઓછું કરનારા રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન પણ લાગૂ થઇ શકે છે. કાયદા મંત્રાલયે આ પણ સ્પષ્ટ કર્યું છે કે કોઈ રાજ્ય કેન્દ્રના આ દિશા-નિર્દેશનું પાલન નહીં કરે તો તે બંધારણની કલમ 356ના ક્ષેત્રમાં આવી શકે છે. અને આ આધાર પર તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી શકે છે.
કાયદા મંત્રાલય પાસેથી લેવાયો અભિપ્રાય
અધિકારીએ જણાવ્યું કે રાજ્યોને પત્ર મોકલતા પહેલા કેન્દ્રીય કાયદા મંત્રાલયથી આના પર અભિપ્રાય લેવાયો હતો. કાયદા મંત્રાલયે કહ્યું કે, મોટર વ્હીકલ એક્ટ સંસદ તરફથી પાસ કરવામાં આવ્યો છે અને તે કાયદા હેઠળ નક્કી કરવામાં આવેલ દંડ જે કોઈ રાજ્ય કાયદો બનાવીને ત્યાં સુધી ઓછો ન કરી શકે, જ્યાં સુધી કે તે કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી નહોતી મળી. અહીં આગામી સવાલ ઉઠે છે કે શું એવા મામલાઓમાં કેન્દ્ર સરકાર પોતાના કાયદાને લાગૂ કરી શકે છે. આના પર કાયદા મંત્રાલયે જણાવ્યું કે, બંધારણના કલમ 256માં કેન્દ્ર સરકારે એવું કરવા માટે અધિકૃત કરવામાં આવ્યું છે.
રોડ સુરક્ષા માટે વધારવામાં આવ્યો હતો દંડ
કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયના અધિકારીનું કહેવું છે કે રોડ પર કાયદો તોડનારા માટે જે દંડમાં ભારે વધારો કરવામાં આવ્યો હતો, તેનો ઉદ્દેશ્ય સરકારી તિજોરી ભરવાનું નહીં પરંતુ રોડ સુરક્ષા વધારવાનું છે. રાજ્ય સરકાર ઇચ્છે તો કેન્દ્ર દ્વારા નક્કી કરવામાં આવેલ દંડને વધારી શકે છે, ઘટાડવાનો અધિકાર તેને નથી.
ગુજરાત સહિત સાત રાજ્યોએ ઘટાડ્યો દંડ
કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ કાયદા-2019થી જોડાયેલ નિયમોને ગત 9 ઓગસ્ટે રાજપત્રમાં રજૂક રવામાં આવ્યું હતું. ત્યારબાદ 1 સપ્ટેમ્બર 2019થી દંડની જોગવાઈઓને સમગ્ર દેશમાં લાગૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત, ઉત્તરાખંડ, કર્ણાટક, ઝારખંડ, કેરળ, અસમ અને મણિપુરે સૂચના દ્વારા દંડની રકમ ઘટાડી હતી.