નાણાં સચિવ અજય ભૂષણ પાંડેએ મંગળવારના રોજ એક મીટીંગમાં સંસદીય સ્થાયી સમિતિને બતાવ્યું છે કે સરકાર હાલના મહેસુલ વિભાજનના ફોર્મ્યુલા અનુસાર રાજ્યોને તેમની GST ભાગીદારી ચૂકવાની સ્થિતિમાં નથી. અંગ્રેજી સમાચાર ધ હિંદુએ સૂત્રો દ્વારા આ અંગેની જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે નાણા સમિતિના અધ્યક્ષ ભાજપના સંસદ જયંત સિંહા છે.
સમિતિની બેઠકમાં ભાગ લેનારા ઓછામાં ઓછા બે સભ્યોના જણાવ્યાં મુજબ કોરોના વાયરસ મહામારી અને લોકડાઉનના કારણે મહેસૂલમાં ઘટાડો પર એક સવાલના જવાબમાં નાણા સચિવ અંગે આ ટિપ્પણી કરી. ત્યારબાદ સભ્યોએ સવાલ કર્યો કે સરકાર રાજ્યોની પ્રતિબદ્ધતા પર કેવી રીતે અંકુશ લગાવી શકે છે.
નામ ન જાહેર કરવાની શરતે એક સભ્યએ જણાવ્યું કે તેના જવાબમાં પાંડેએ કહ્યું, જો મહેસૂલ સંગ્રહ એક નિશ્ચિત સીમાથી નીચે જતું રહે છે તો જીએસટી એક્ટમાં રાજ્ય સરકારોને વળતર આપવાના ફોર્મ્યુલાને ફરી લાગુ કરવાની જોગવાઇ છે.
ગત સોમવારે નાણા મંત્રાલયે જણાવ્યું કે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે જીએસટી વળતરની 13,806 કરોડની અંતિમ હપ્તો રીલીઝ કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે જીએસટી પરિષદને જુલાઇમાં બેઠક કરવા અને રાજ્યોને વળતર આપવાની ફોર્મ્યુલા પર કામ કરવા માટે નક્કી કરવામાં આવી હતી. જો કે હજુ સુધી બેઠક બોલાવામાં આવી નથી.
બીજી તરફ કોરોના વાયરસ મહામારી અને મહીનાઓ સુધી લાગુ રહેલા લોકડાઉનના કારણે દેશમાં કરોડો લોકોની રોજગારી પર સંકટ ઉભુ થયું છે. ખરેખર વાણિજ્ય મંત્રાલય સાથે જોડાયેલી સંસદીય સ્થાયી સમિતિની બેઠકમાં સામેલ થયેલ સરકારના પ્રતિનિધિએ દેશમાં રોજગારની સ્થિતિ પર એક રજૂઆત કરી. જેમાં ઘણા ચિંતાજનક આંકડાઓ આપવામાં આવ્યાં. જેના મુજબ કોવિડ-19 અને લોકડાઉનના કારણે દેશમાં અંદાજે 10 કરોડ લોકોની રોજગારી પર ખતરો મંડરાઇ રહ્યો છે. જો કે બેઠકમાં એ સ્પષ્ટ કરવામાં નથી આવ્યું કે આ આંકડા ક્યાં સુધીના છે અને તેમાં કયું ક્ષેત્ર વધારે પ્રભાવિત થશે.
આ બેઠકમાં સરકાર તરફથી જણાવામાં આવ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા ઘણી હદ સુધી યૂરોપ, ચીન અને અમેરિકામાંથી થતાં રોકાણ અને વેપાર પર નિર્ભર કરે છે. કોરોના સંક્રમણના કારણે આ દેશમાંથી વેપાર અને રોકાણમાં અલગ-અલગ કારણોથી ઘટાડાની આશંકા છે.