કેન્દ્ર સરકારે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કુમાર વિશ્વાસની સુરક્ષા વધારવાનો મોટો નિર્ણય લીધો છે. સરકારે વિશ્વાસને વાઈ કેટેગરીની સુરક્ષા આપવાની જાહેરાત કરી છે.
કુમાર વિશ્વાસે કેજરીવાલ પર લગાવ્યા હતા ગંભીર આક્ષેપ
કુમાર વિશ્વાસની સુરક્ષા વધારવામાં આવી
રાજકારણમાં હોબાળો મચ્યો
કેન્દ્ર સરકારે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કુમાર વિશ્વાસની સુરક્ષા વધારવાનો મોટો નિર્ણય લીધો છે. સરકારે વિશ્વાસને વાઈ કેટેગરીની સુરક્ષા આપવાની જાહેરાત કરી છે. સૂત્રો અનુસાર જોઈએ તો, IBના રિપોર્ટ બાદ જ ગૃહમંત્રાલયે આ નિર્ણય કર્યો છે. આપ પાર્ટીની પ્રમુખ અરવિંદ કેજરીવાલ વિરુધ્ધના આરોપ બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય કર્યો છે. કુમાર વિશ્વાસે કેજરીવાલ પર આરોપ લગાવ્યો હતો કે, દિલ્હીના સીએમ પંજાબમાં અલગાવવાદીઓના સમર્થક હતા. વિશ્વાસના આ આરોપ બાદ તમામ રાજકીય પાર્ટીઓ કેજરીવાલને સવાલો પૂછી રહ્યા છે.
કેન્દ્ર સરકારનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે પૂર્વ આપ નેતાએ દિલ્હીના મુખ્યમંત્રી પર પંજાબ ચૂંટણી પહેલા પંજાબના અલગાવવાદીઓનું સમર્થન કરવાનો આરોપ લગાવ્યો હતો. કુમાર વિશ્વાસના આ પ્રકારના નિવેદન બાદ રાજકારણમાં હાહાકાર મચી ગયો છે.
કેજરીવાલ પર લગાવ્યા હતા આક્ષેપ
આ અગાઉ કેજરીવાલે કહ્યું હતું કે, તે કાં તો પંજાબના મુખ્યમંત્રી બનશે, અથવા સ્વતંત્ર રાષ્ટ્ર ખાલિસ્તાનના પ્રથમ વડાપ્રધાન. વિશ્વાસના આ પ્રકારના આરોપ બાદ હવે કોંગ્રેસે પણ કેજરીવાલ પર પ્રહારો કરવાના શરૂ કરી દીધા છે. શનિવારે કોંગ્રેસે કહ્યું હતું કે, કુમાર વિશ્વાસના કેજરીવાલ પર લગાવેલા આરોપ દેશની સુરક્ષા અને સંપ્રભુતા સાથે જોડાયેલા છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, કેજરીવાલને પંજાબના સીએમ બનવાનો મોકો ન મળ્યો એટલે તેમણે બીજા દિવસના પીએમ બનવા વિશે વિચારી રહ્યા છે.