કૃષિ કાયદાના મુદ્દા પર કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે 11માં તબક્કાની વાતચીત શરુ થઇ ગઇ છે. સરકારે આ કાયદોને અંદાજે 2 વર્ષ સુધી સ્થગિત કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે, પરંતુ ખેડૂત સંગઠનો દ્વારા તેને નામંજૂર કરવામાં આવ્યો છે.
ખેડૂતો અને સરકાર વચ્ચે 11માં તબક્કાની વાતચીત સમાપ્ત
આજની બેઠકમાં પણ ન બની શકી વાત
હવે આગળની ચર્ચા માટે તારીખ નિશ્ચિત નહીં
ખેડૂત નેતાએ શું કહ્યું?
ખેડૂત નેતા શિવ કુમાર કક્કાએ કહ્યું કે લંચ બ્રેક પહેલા ખેડૂતો નેતાઓએ સરકાર સામે કાયદા રદ કરવા માંગ કરી હતી અને તે બાદ સરકારે કહ્યું કે તે સંશોધન કરવા માટે તૈયાર છે. મંત્રીઓએ ખેડૂતોને પ્રસ્તાવ પર વિચાર કરવા કહ્યું જે બાદ અમે સરકારને અમારા પ્રસ્તાવ પર વિચાર કરવા કહ્યું, તે બાદ મંત્રીઑ બેઠક છોડીને ચાલ્યા ગયા.
સરકારનું કડક વલણ
ખેડૂત સંગઠન અને સરકાર વચ્ચે આજની બેઠક સમાપ્ત થઈ ગઈ છે જેમાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કડક વલણ અપનાવ્યું છે. તેમણે સાફ શબ્દોમાં કહી દીધું કે કાયદા તમારા હિતમાં જ છે અને હવે આના સિવાય વધારે અમે કશું ન કરી શકીએ. જે પણ તમારો વિચાર બને તેના પર વિચારી લો. આપણે ફરી મળીશું પણ આગામી તારીખ નિશ્ચિત નથી. નોંધનીય છે કે સરકારે કૃષિ કાયદાને દોઢ વર્ષ સુધી રોકી દેવાનો પ્રસ્તાવ આપ્યો હતો જે ખેડૂતોએ અસ્વીકાર કરી દીધો છે.
સરકાર ઝૂકી પણ તૈયાર નથી ખેડૂતો
ખેડૂતો અગ્રણીઓએ સરકારના પ્રસ્તાવ પર કહ્યું છે કે અમને આ સ્વીકાર નથી, ત્રણ કાયદા રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે.
ખેડૂતો અને સરકાર વચ્ચે બેઠક સતત કરવામાં આવી રહી છે અને સરકારના પ્રસ્તાવને ખેડૂતોએ ફરીથી ફગાવી દીધો છે અને અગ્રણીઑએ ફરીથી ત્રણ કાયદાને રદ કરી દેવા માંગ કરી છે.
સરકારે ખેડૂતોને એકવાર ફરી વિચાર કરવા જણાવ્યું
ખેડૂતો સાથેની બેઠકમાં સરકારે અપીલ કરી છે કે ખેડૂત સંગઠન એકવાર ફરી સરકારના પ્રસ્તાવ પર ચર્ચા કરે. હાલ ખેડૂત સંગઠન અને સરકાર વચ્ચે બેઠક ચાલી રહી છે. એવામાં ખેડૂત સંગઠન આ પ્રસ્તાવ પર ફરી ચર્ચા કરી રહ્યું છે.
ખેડૂત આંદોલન પર ઉમા ભારતીનું નિવેદન
ખેડૂત આંદોલનને લઇને ભાજપના નેતા ઉમા ભારતીનું નિવેદન સામે આવ્યું છે. ઉમા ભારતીએ જણાવ્યું છે કે ખેડૂતો અને સરકારને મળીના આ વાત કરવી જોઇએ. જેમ કે 1989માં થયું હતું. કોઇપણ પક્ષ માટે ઇગો રાખવો ઠીક નથી.
ખેડૂત સંગઠન અને કેન્દ્ર સરકાર વચ્ચે 11માં તબક્કાની વાતચીત શરુ થઇ ગઇ છે. વિજ્ઞાન ભવન ખાતે આ બેઠક ચાલી રહી છે. સરકાર તરફથી કાયદાને થોડા સમય માટે સ્થગિત કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે, જેને ખેડૂત પ્રતિનિધિમંડળ દ્વારા નામંજૂર કરવામાં આવ્યો છે.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું કહેવું છે કે ખેડૂત ટ્રેકટર રેલી જરુર નિકાળશે, અમે ત્રિરંગાની સાથે રેલી નિકાળશું, એવામાં અમને મંજૂરી કેમ આપવામાં આવી રહી નથી.
ટ્રેકટર રેલીને લઇને વિવાદ
ગણતંત્ર દિવસ પર ખેડૂત સંગઠનોએ દિલ્હીમાં ટ્રેકટર રેલી નીકાળવા અંગે વાત કરી છે. જો કે દિલ્હી પોલીસે આ અંગે હુજ સુધી મંજૂરી આપી નથી. ગત દિવસોમાં પોલીસ અને ખેડૂતો વચ્ચેની બેઠક પણ કોઇપણ પરિણામ વગરની રહી. ખેડૂતો દિલ્હીના રિંગ રોડ પર રેલી કરવા માટે અડગ છે. એવામાં આજે ફરી યોજાનારી બેઠકમાં તેના પર કોઇ નિર્ણય લેવાની શક્યતા છે.
કેન્દ્ર સરકારના પ્રસ્તાવને નામંજૂર કર્યો
આ પહેલા ખેડૂત સંગઠનોએ ગુરુવારના રોજ ત્રણેય કૃષિ કાયદાઓને થોડા સમય માટે સ્થગિત કરવા અને સમાધાનનો રસ્તો નિકાળવા માટે એક સમિતિના ગઠન સંબંધી કેન્દ્ર સરકારના પ્રસ્તાવને નામંજૂર કરી દીધો છે. સંયુક્ત ખેડૂત મોરચાના પ્રતિનિધિઓએ સરકારના આ પ્રસ્તાવ પર સિંધૂ બોર્ડર પર એક મેરાથોન બેઠકમાં આ નિર્ણય લીધો.
આ મોરચાના બેનર હેઠળ કૃષિ કાયદાઓને પરત ખેંચવાની માગ ને લઇને ખેડૂત સંગઠન છેલ્લા બે મહિનાથી આંદોલન કરી રહ્યાં છે. ખેડૂત નેતા દર્શન પાલ તરફથી આવેલા નિવેદન મુજબ સંયુક્ત કિસાન મોરચાની આમ બેઠકમાં સરકાર દ્વારા રાખવામાં આવેલા પ્રસ્તાવનો અસ્વીકાર કરી દેવામાં આવ્યો.
કૃષિ મંત્રીએ બેઠક પહેલા અમિત શાહ સાથે મુલાકાત કરી
પ્રદર્શનકારી ખેડૂત સંગઠનના નેતાઓ સાથે 11માં તબક્કાની મહત્વપૂર્ણ બેઠક પહેલા કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ગુરુવાર રાતે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ અંગે સૂત્રો દ્વારા જાણકારી મળી છે.