કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે કૃષિ કાયદાને લઇને આજે 11માં તબક્કાની બેઠક યોજાશે. આ વાતચીમાં કોઇ ઠોસ પરિણામ આવે તેવી શક્યતા છે, કારણ કે ગત બેઠકમાં સરકાર તરફથી કૃષિ કાયદાને થોડા સમય સુધી રોક લગાવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો જો કે ખેડૂત સંગઠનોએ સરકારના આ પ્રસ્તાવને નામંજૂર કર્યો છે ત્યારે હવે બેઠકમાં શું થશે તેના પર બધાની નજર છે.
ટ્રેકટર રેલીને લઇને વિવાદ
ગણતંત્ર દિવસ પર ખેડૂત સંગઠનોએ દિલ્હીમાં ટ્રેકટર રેલી નીકાળવા અંગે વાત કરી છે. જો કે દિલ્હી પોલીસે આ અંગે હુજ સુધી મંજૂરી આપી નથી. ગત દિવસોમાં પોલીસ અને ખેડૂતો વચ્ચેની બેઠક પણ કોઇપણ પરિણામ વગરની રહી. ખેડૂતો દિલ્હીના રિંગ રોડ પર રેલી કરવા માટે અડગ છે. એવામાં આજે ફરી યોજાનારી બેઠકમાં તેના પર કોઇ નિર્ણય લેવાની શક્યતા છે.
કેન્દ્ર સરકારના પ્રસ્તાવને નામંજૂર કર્યો
આ પહેલા ખેડૂત સંગઠનોએ ગુરુવારના રોજ ત્રણેય કૃષિ કાયદાઓને થોડા સમય માટે સ્થગિત કરવા અને સમાધાનનો રસ્તો નિકાળવા માટે એક સમિતિના ગઠન સંબંધી કેન્દ્ર સરકારના પ્રસ્તાવને નામંજૂર કરી દીધો છે. સંયુક્ત ખેડૂત મોરચાના પ્રતિનિધિઓએ સરકારના આ પ્રસ્તાવ પર સિંધૂ બોર્ડર પર એક મેરાથોન બેઠકમાં આ નિર્ણય લીધો.
આ મોરચાના બેનર હેઠળ કૃષિ કાયદાઓને પરત ખેંચવાની માગ ને લઇને ખેડૂત સંગઠન છેલ્લા બે મહિનાથી આંદોલન કરી રહ્યાં છે. ખેડૂત નેતા દર્શન પાલ તરફથી આવેલા નિવેદન મુજબ સંયુક્ત કિસાન મોરચાની આમ બેઠકમાં સરકાર દ્વારા રાખવામાં આવેલા પ્રસ્તાવનો અસ્વીકાર કરી દેવામાં આવ્યો.
કૃષિ મંત્રીએ બેઠક પહેલા અમિત શાહ સાથે મુલાકાત કરી
પ્રદર્શનકારી ખેડૂત સંગઠનના નેતાઓ સાથે 11માં તબક્કાની મહત્વપૂર્ણ બેઠક પહેલા કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ગુરુવાર રાતે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ અંગે સૂત્રો દ્વારા જાણકારી મળી છે.