કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીની સરકાર અને ઉપરાજ્યપાલની સત્તાને લઈને પ્રસ્તાવને મંજૂરી આપી છે જે બાદ મોટો વિવાદ ઊભો થયો છે.
કેન્દ્રીય કેબિનેટે દિલ્હીના એલજીની પાવર વધારી
બિલને મંજૂરી મળતા જ દિલ્હીના રાજકારણમાં વિવાદ
ઉપમુખ્યમંત્રી મનિષે કેન્દ્ર સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ
શું છે સમગ્ર મામલો?
કેન્દ્રીય કેબિનેટે બુધવારે થયેલી બેઠકમાં દિલ્હીના ઉપરાજ્યપાલને વધુ પાવરફુલ બનાવી પ્રસ્તાવિત બનાવતા સંશોધનને મંજૂરી આપી દીધી છે. ગવર્નમેન્ટ ઓફ NCT દિલ્હી એક્ટમાં કેટલાક સંશોધન કરી દિલ્હીની ચૂંટાયેલી સરકારને નક્કી સમયમાં જ એલજીની પાસે પ્રસ્તાવ મોકલવાની જોગવાઈ છે. કેન્દ્રએ સંસદના બજેટ સત્ર દરમિયાન NCT ઓફ દિલ્હી કાયદા 2021ને વિચાર અને પસાર કરવા માટે સૂચીબદ્ધ કર્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા આ બિલને મંજૂરી મળ્યા બાદ રાજ્યભરમાં ચર્ચા તેજ બની છે કે સરકારે કેજરીવાલની પાંખો કાપી નાખી છે.
વિવાદ વધે તેવા એંધાણ
નોંધનીય છે કે આ પહેલા પણ ઘણીવાર દિલ્હીના મુખ્યમંત્રી અને ઉપરાજ્યપાલ વચ્ચે વિવાદ જોવા મળ્યો છે અને વારંવાર આરોપ લગાવવામાં આવે છે કે દિલ્હીમાં જે ઉપરાજ્યપાલ આવે છે તે કેન્દ્ર સરકારની મદદ કરવા માટે કામ કરે છે. કેજરીવાલ જ્યાં હંમેશા ઉપરાજ્યપાલ સામે બાંયો ચડાવતા જોવા મળે છે ત્યારે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી વધારે વિવાદ જોવા મળે તેવી સંભાવના છે.
કેન્દ્ર પર ડેપ્યુટી સીએમએ લગાવ્યા આરોપ
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સીસોદિયાએ ગુરુવાર પત્રકાર પરિષદ કરીને કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે ચુપકેથી દિલ્હી સરકારના અધિકારી છીનવીને ઉપરાજ્યપાલને આપવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે GNCTD Actમાં બદલાવ કરીને ચૂંટાયેલી સરકારના અધિકારોને ઓછા કરવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારનું આ પગલું લોકતંત્ર અને બંધારણના વિરુદ્ધ છે.
પહેલા કેટલી સત્તા હતી અને હવે કેટલી? સમજો વિસ્તારથી
ડેપ્યુટી સીએમએ કહ્યું કે દિલ્હી સરકારના અધિકારો એલજી પાસે જતાં રહ્યા. કેન્દ્રીય કેબિનેટે તેને મંજૂરી પણ આપી દીધી છે. કેન્દ્ર સરકાર એલજી એટલા પાવર આપવા જઇ રહી છે કે હવે દિલ્હી સરકારઆ બધા જ નિર્ણય હવે તે લેશે. જેમને દિલ્હીની જનતાએ ચૂંટીને મોકલ્યા છે તે સરકાર પાસે હવે અધિકારો નહીં રહે. કેન્દ્રએ આ નિર્ણય ગોપનીયતાથી લીધો છે.
તેમણે આગળ કહ્યું કે કેન્દ્ર સરકારનો આ નિર્ણય લોકતંત્રના વિરુદ્ધ છે. બંધારણમાં લખવામાં આવ્યું છે કે દિલ્હીમાં ચૂંટાયેલી સરકાર ત્રણ વસ્તુ- પોલીસ, જમીન અને પબ્લિક ઓર્ડરને છોડીને બધા જ નિર્ણય લેશે.
તેમણે કહ્યું કે ભાજપની આ સરકારે જે નિર્ણયો લીધા તેની સામે સુપ્રીમ કોર્ટમાં પાંચ જજોની પીઠ દ્વારા નિર્ણય આપવામાં આવ્યો છે કે એલજી પાસે પોલીસ, જમીન અને પબ્લિક ઓર્ડરને છોડીને કોઈ સત્તા નહીં હોય. પણ હવે કેન્દ્ર સરકાર બંધારણ અને સુપ્રીમ કોર્ટના આદેશના વિરુદ્ધ દિલ્હીમાં ચૂંટાયેલી સરકાર હોવા છતાં અંતિમ નિર્ણયની સત્તા એલજીને આપી દીધી છે.