સરકાર પણ ક્યારેક ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જતી હોય તેવો ઘાટ કરતી હોય છે. રાજીવ ગાંધીના હત્યારાઓને કંઈ એકાએક નથી છોડી મૂકવામાં આવ્યાં. તેને માટે મહિના દિથી વાતો ચાલતી હતી અને જે પછી સુપ્રીમ કોર્ટે તેમને છોડવાનો નિર્ણય લીધો હતો ત્યાં સુધી સરકારને તેની કંઈ ખબર ન પડી તે એક મોટો સવાલ છે. હવે રાજીવના હત્યારાના છૂટકારાના એક અઠવાડિયા બાદ સરકાર જાગી છે અને સુપ્રીમ પહોંચીને કહ્યું કે આ કેસમાં અમારી વાત યોગ્ય રીતે સાંભળવામાં નથી માટે અમારો પક્ષ સાંભળો. આ માગ સાથે સરકારે સુપ્રીમમાં રિવ્યૂ પિટિશન પણ મૂકી દીધી.
રાજીવના હત્યારાના છૂટકારાના ચુકાદાને પડકાર્યો
રાજીવ ગાંધી હત્યા કેસના 6 દોષીઓને છોડી મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ફેંસલો કેન્દ્ર સરકારને માફક આવ્યો નથી એટલે સરકારે દોષીઓને છોડી મૂકવાના નિર્ણયની સામે સુપ્રીમમાં રિવ્યૂ પિટિશન દાખલ કરીને આ કેસમાં ફેરવિચારણા કરવાનું જણાવ્યું છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરીને કહ્યું છે કે છ લોકોને છોડવાનો આદેશ આપતી વખતે તેનો પક્ષ સાંભળવામાં નથી આવ્યો. સરકારે એમ પણ કહ્યું હતું કે છ દોષિતોમાંથી ચાર શ્રીલંકન છે અને દેશના ભૂતપૂર્વ વડા પ્રધાનની હત્યાના જઘન્ય ગુના માટે આતંકવાદી હોવાના દોષી ઠેરવવામાં આવ્યા છે.
Centre files review petition in the Supreme Court against the November 11 order allowing the release of all convicts in the Rajiv Gandhi assassination case. pic.twitter.com/stcCnGENnz
સુપ્રીમ કોર્ટે 11 નવેમ્બરે છોડ્યાં રાજીવના દોષીઓ
ઉલ્લેખનીય છે કે 11 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે નલિની, જયકુમાર, મુરુગન સહિત 6 લોકોને એ આધાર પર મુક્ત કર્યા હતા કે તેઓ 30 વર્ષથી વધુ સમયથી જેલમાં છે. જસ્ટિસ બી આર ગવઈ અને બી વી નાગરથનાની ખંડપીઠે દોષિતોના જેલમાં સારા વર્તનને ધ્યાનમાં રાખીને તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આરોપીઓને મુક્ત કરતી વખતે કોર્ટે કહ્યું હતું કે, આ ચુકાદો કેદીઓના સારા વર્તન અને આ કેસમાં દોષિત ઠરેલી અન્ય એક વ્યક્તિ એજી પેરારિવલનની મે મહિનામાં મુક્તિ પર આધારિત છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ધરપકડ સમયે તે 19 વર્ષનો હતો અને 30 વર્ષથી જેલમાં હતો.
Centre moves SC seeking review of order for premature release of six convicts in Rajiv Gandhi assassination case
કોંગ્રેસે ચુકાદાની ટીકા કરી
રાજીવ ગાંધીના હત્યારાઓને છોડી મૂકવાના સુપ્રીમના ચુકાદાની કોંગ્રેસે આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે પૂર્વ પીએમ રાજીવ ગાંધીના હત્યારાઓને મુક્ત કરવાનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય સંપૂર્ણપણે અસ્વીકાર્ય અને સંપૂર્ણપણે ખોટો છે. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 21 મે, 1991ના રોજ તમિલનાડુના શ્રીપેરંબુદુરમાં હત્યા કરવામાં આવી હતી. તે આતંકવાદી સંગઠન લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ (એલટીટીઈ) દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.