બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / પહેલગામ પડઘો! ભારતે 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલ પર પ્રતિબંધ મૂક્યો, 63 મિલિયન સબસ્ક્રાઈબર્સ
Last Updated: 10:44 AM, 28 April 2025
પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે બીજું મોટું પગલું ઉઠાવ્યું છે. કેન્દ્ર સરકારે ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી ફેલાવવા બદલ ભારતમાં કુલ 63 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ ધરાવતી 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ બંધ કરાવી દીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ભલામણો પર યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ADVERTISEMENT
કઈ કઈ યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ
પ્રતિબંધિત પ્લેટફોર્મ્સમાં ડોન, સમા ટીવી, એઆરવાય ન્યૂઝ, બોલ ન્યૂઝ, રફ્તાર, જીઓ ન્યૂઝ અને સુનો ન્યૂઝના ન્યૂઝ આઉટલેટ્સની યુટ્યુબ ચેનલોનો સમાવેશ થાય છે. પત્રકારો ઇર્શાદ ભટ્ટી, અસ્મા શિરાઝી, ઉમર ચીમા અને મુનીબ ફારૂકની યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રતિબંધિત કરાયેલા અન્ય હેન્ડલમાં ધ પાકિસ્તાન રેફરન્સ, સમા સ્પોર્ટ્સ, ઉઝૈર ક્રિકેટ અને રાઝી નામાનો સમાવેશ થાય છે. સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલગામ દુર્ઘટનાને પગલે પડોશીઓ વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે, આ યુટ્યુબ ચેનલો ભારત, તેની સેના અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી, ખોટી અને ભ્રામક વાર્તાઓ અને ખોટી માહિતી ફેલાવી રહી છે. જો કોઈ આ ચેનલોને ઍક્સેસ કરવાનો પ્રયાસ કરશે, તો તેમને આવું લખેલુ વાંચવા મળશે કે રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર વ્યવસ્થા સંબંધિત સરકારના આદેશને કારણે આ સામગ્રી હાલમાં આ દેશમાં ઉપલબ્ધ નથી.
ADVERTISEMENT
પહેલગામ હુમલા બાદ ભારતે ઘણા પગલાં ભર્યાં
ઉલ્લેખનીય છે કે 26 પ્રવાસીઓના ભોગ લેનારા પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે ઘણા પગલાં ભર્યાં છે જેમાં સિંધુ નદીનું પાણી સ્થગિત, પાકિસ્તાનીઓને બહાર કાઢવા, વિઝા કેન્સલ સહિત બીજા પગલાં સામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.