કેન્દ્રએ પત્ર લખી રાજ્યોને કહ્યું છે કે તે કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં મોડું ન કરે.
રાજ્યો રસીનો બીજો ડોઝ આપવામાં મોડું ન કરે- કેન્દ્ર
ફક્ત એક ડોઝને કારણે બ્રેકથ્રૂ ઈન્ફેક્શનનો ખતરો વધી ગયો
9 કરોડ લોકોને રસીનો બીજો ડોઝ નથી લાગ્યો
રાજ્યો રસીનો બીજો ડોઝ આપવામાં મોડું ન કરે- કેન્દ્ર
દેશમાં 100 કરોડ રસીના ડોઝની સિદ્ધિ વચ્ચે કેન્દ્ર સરકારે તે રાજ્યોને પત્ર લખીને જવાબ માંગ્યો છે. જે રસીનો બીજો ડોઝ લગાવવામાં પાછળ રહી ગયા છે. કેન્દ્રએ પત્ર લખી કહ્યું છે કે તે કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં મોડું ન કરે. કેન્દ્રએ જે રાજ્યોને પત્ર લખ્યો છે તેમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને ઓડિશા સામેલ છે. આ રાજ્યોમાં એવા 9 કરોડ લોકોની 27 ટકા સંખ્યા હાજર છે. હેલ્થ મિનિસ્ટ્રીના સચિવ રાજેશ ભૂષણ તરફથી રાજ્યોને પત્ર લખવામાં આવ્યો છે.
ફક્ત એક ડોઝને કારણે બ્રેકથ્રૂ ઈન્ફેક્શનનો ખતરો વધી ગયો
કોવિશીલ્ડ રસીના બે ડોઝ વચ્ચે 12 અઠવાડિયાનો તો કોવૈક્સીનના બે ડોઝ વચ્ચે 4 અઠવાડિયાનું અંતર રાખવામાં આવ્યું છે. ભારતમાં અત્યાર સુધી લાગેલા રસીના કુલ ડોઠમાં 90 ટકા સંખ્યા પહેલા ડોઝની છે. કોરોના સામે રક્ષણ માટે 2 ડોઝ જરુરી છે. ફક્ત એક ડોઝને કારણે બ્રેકથ્રૂ ઈન્ફેક્શનનો ખતરો વધી ગયો છે. ખાસ કરીને કોરોનાના મ્યૂટેન્ટ વેરિએન્ટથી સંક્રમિત થવાનો ખતરો વધે છે.
9 કરોડ લોકોને રસીનો બીજો ડોઝ નથી લાગ્યો
દેશમાં જે 9 કરોડ લોકોને રસીનો બીજો ડોઝ નથી લાગ્યો તેમાંથી 1.56 કરોડ લોકો ખાલી ઉત્તર પ્રદેશના છે. હેલ્થ મિનિસ્ટ્રીના સચિવ રાજેશ ભૂષણ તરફથી રાજ્યોને લખાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે કોવિન પોર્ટલ પર 20 ઓક્ટોબર સુધી ડેટા મુજબ રાજ્યોમાં 12 કરોડ 48 લાખ લોકોને રસી લાગશે. તેમાં મોટી સંખ્યા એવા લોકોની છે જેમને બીજો ડોઝ નથી લાગ્યો. તમારી પાસે કોવિશીલ્ડના 87,57, 640 અને કોવૈક્સીનના 28,10,780 ડોઝ હાજર છે. આ રીતે પશ્ચિમ બંગાળમાં હજું પણ 30 લાખથી વધારે લોકોને કોરોનાની બીજી રસી નથી લાગી. રાજસ્થાનમાં જ આ આંકડો 30 લાખની નજીક છે.