કોરોનાના પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરવાની કરાવવાનો નિર્દેશ
કેન્દ્રીય ગૃહસચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં જણાવ્યું કે આગામી સમયમાં દેશમાં હોળી-ધૂળેટી, ઈસ્ટર, ઈદ ઉલ ફિત્ર, પાક સાથે જોડાયેલા તહેવારો આવી રહ્યાં છે અને તેથી રાજ્યોએ ભીડને કાબૂમાં રાખવી પડશે તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરાવવું પડશે.
ગૃહ સચિવે લખ્યું કે તમે જાણો છો ને કે દેશ એક મુખ્ય તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તેથી કોરોનાના નિયમોનું કડકાઈથી પાલન કરવું જરુરી છે. સ્થિતિના આકલન બાદ ગૃહમંત્રાલયે 23 માર્ચે એક ગાઈડલાઈન જારી કરી હતી તેમાં ટેસ્ટ, ટ્રકેક અને ટ્રીટ પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરવાનું જણાવાયું હતું. ગૃહ સચિવે તમામ રાજ્યોના સચિવોને જિલ્લા વહિવટીતંત્ર, પોલીસ વહિવટીતંત્રને કોવિડ-19 ના યોગ્ય વર્તન અને એસઓપીનું પાલન કરવાનો આદેશ આપવાનું જણાવ્યું છએ. તે ઉપરાંત જન જાગૃતિ લાવવા માટેની ઝૂંબેશને પણ મજબૂત બનાવાની જરુર છે. તેમણે કહ્યું કે આરોગ્ય નિષ્ણાંતોના અવારનવાર જણાવ્યાનુસાર, જાહેર સ્થળો તથા કાર્યક્રમોમાં કોવિડ-19 ના પ્રોટોકોલ અને ગાઈડલાઈનને ચૂસ્તપણે વળગી રહેવાથી કોરોનાના ફેલાવાની ચેઈનને તોડવામાં તથા દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો કરવામાં મદદ મળશે.
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે. શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર એક દિવસમાં 59 હજાર 118 કેસ સામે આવ્યા છે. ઓકટોબર મહિના આટલા કેસ સામે આવતા હતા અને આટલા મહિનાઓ બાદ ફરી ઓકટોબર મહિના જેવો જ કહેર ભારતમાં ફરી જોવા મળી રહ્યો છે. દેશમાં એક દિવસમાં 257 લોકોના મોત થયા છે જ્યારે 32 હજાર 987 લોકોએ કોરોના વાયરસને મ્હાત આપી છે.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ
હોળીના તહેવાર પહેલા દેશમાં કોરોના વાયરસની રફતાર બેકાબૂ થઈ રહી છે. ભારતની રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા હોવા છતાં કોરોના કેસ વધી રહ્યા છે.
લોકડાઉન લાગ્યું છતાં આ હાલ
દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. કોરોના વાયરસની બીજી લહેર સૌથી વધારે હાહાકાર મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં પ્રતિદિન કોરોના વાયરસના કેસ એક નવો રેકોર્ડ સર્જી રહ્યા છે. બુદવારે કોરોના વાયરસના 31 હજાર કેસ સામે આવ્યા હતા તો ગુરુવારે કોરોના વાયરસના નવા કેસનો આંકડો તો 35 હજારને પણ પાર થઈ ગયો. ગુરુવારે મહારાષ્ટ્રમાં 35 હજાર 952 કોરોના વાયરસ કેસ સામે આવ્યા છે જ્યારે 111 લોકોના મોત થયા છે.