કેન્દ્ર સરકારે તમામ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને મહિનાના બધા દિવસ અને મોડે સુધી રેશનની દુકાનો ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો છે.
મહામારીમાં કેન્દ્ર સરકારને ગરીબોની ચિંતા
કેન્દ્ર સરકારે રાજ્યોને આપ્યો મોટો આદેશ
હવે રેશનિંગની દુકાનો મોડે સુધી ખુલ્લી રહેશે
રાજ્યોએ રેશનની દુકાનો આખો મહિનો ખુલ્લી રાખવી પડશે
મોડે સુધી પણ દુકાનો ખુલ્લી રાખવી પડશે
ગરીબોને સમયસર ભોજન મળે તે માટે કેન્દ્રનો નિર્ણય
કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે એક પરિપત્ર બહાર પાડીને જણાવ્યું કે ગરીબોને સમયસર અને સુરક્ષિત રીતે મફત અનાજ મળી રહે તે હેતુસર તમામ રાજ્યોએ મહિનાના બધા દિવસોએ તથા મોડે સુધી રેશનની દુકાનો ખુલ્લી રાખવી પડશે.
મંત્રાલયે નિવેદનમાં જણઆવ્યું કે કેટલાક રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોએ લોકડાઉન લગાડ્યું છે તેને કારણે રેશનની દુકાનોના કામકાજના કલાકોમાં ઘટાડો આવ્યો છે તેથી આ ઓર્ડર જારી કરવામાં આવે છે. મંત્રાલયે રાજ્યોને એવો પણ આદેશ આપ્યો છે કે લાભાર્થીઓને પ્રધાનમંત્રઈ ગરીબ કલ્યાણ અન્ન યોજના તથા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ અનાજનું વિતરણ આખા દિવસ સુધી કરવામાં આવે.
લાભાર્થીઓને દર મહિને 5 કિલો મ ત અનાજ મળશે
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ પ્રતિ વ્યક્તિ 5 કિલો ખાદ્યાન્ન એકથી ત્રણ રૂપિયા કિલોના દરે 80 કરોડથી વધુ ગરીબ પરિવારોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. આ સિવાય પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાઈ) હેઠળ બે મહિના.. મે અને જૂન... માટે તે લાભાર્થીઓને ફ્રીમાં પ્રતિ વ્યક્તિ પાંચ કિલો અનાજ આપવામાં આવી રહ્યું છે જેથી કોરોના મહામારીની બીજી લહેર અને તેને રોકલા માટે લગાવવામાં આવેલા લૉકડાઉન અને અન્ય પ્રતિબંદોની અસર ગરીબો પર પડે નહીં.
નિવેદન પ્રમાણે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તે આગ્રહ કરવામાં આવ્યો છે કે લાભાર્થીઓને કોઈ મુશ્કેલી વગર ખાદ્યાન્નનો સમય વિતરણ નક્કી કરવા માટે જરૂરી પગલા ભરવામાં આવે અને આ સંબંધમાં કરવામાં આવેલા ઉપાયોનો વ્યાપક પ્રચાર પણ કરે.