કોરોના સંકટની વચ્ચે કેન્દ્રએ ગુરુવારે રાજ્ય સરકારને કહ્યું છે કે ધ્યાન રાખો કે પેનિકમાં આવીને લોકોને વધારે ચીજોની ખરીદી ન કરે.
કોરોના સંકટની વચ્ચે કેન્દ્રનો ખાસ નિર્ણય
કેન્દ્રની રાજ્ય સરકારને ખાસ સૂચના
પેનિકમાં આવીને લોકોને વધારે ચીજોની ખરીદી ન કરે
કોરોના સંરટની વચ્ચે કેન્દ્રએ ગુરુવારે રાજ્ય સરકારને ગભરાઈને લોકોને જરૂરિયાતથી વધારે ખરીદીથી રોકવા માટે યોગ્ય પગલાં લેવાનું અને સાથે એ નક્કી કરવાનું કહ્યું છે કે પ્રમુખ ચીજોના ભાવ વધે નહીં. કેન્દ્રએ રાજ્યોને નિર્દેશ એવા સમયે આપ્યો છે જ્યારે કોરોના સંક્રમણના વધવાના કારણે જરૂરી ચીજના ભાવમાં વધારાને લઈને ચિંતા વધી છે.
જાણો શું કહ્યું કેન્દ્ર સરકારે
કેન્દ્રીય ઉપભોક્તા કેસના મંત્રાલયમાં સચિવ નિધિ ખરેએ રાજ્ય સરકારને લખેલા પત્રમાં કહ્યું છે કે કોરોના સંક્રમિતોની સંખ્યામાં અચાનક વૃદ્ધિથી સામાન્ય લોકોને માટે યોગ્ય મૂલ્ય પર જરૂરી સામાનની આપૂર્તિ માટેની ચિંતા વધી છે. રાજ્યોથી આપૂર્તિ વ્યવસ્થા સારી રીતે બનાવી રાખવા માટે કરિયાણાની દુકાનો અને ગોદામ અને દવાની દુકાનોને કલમ 144ના આધારે પાબંધીથી અલગ રાખવાનું કહેવાયું છે. તેઓએ એમ પણ કહ્યું છે કે આ સુનિશ્ચિત કરવું જોઈએ કે જરૂરી સામાનના ભાવ વધ્યા નથી અને તેમની આપૂર્તિ યોગ્ય ભાવે મળી રહે. જ્યાં સુધી કાચા માલનું મૂલ્ય કે વિનિમય દરના ઉતાર ચઢાવના કારણે ભાવમાં વધારો જરૂરી નથી. કિંમતમાં વધારો થવો જોઈએ નહીં. તેઓએ કહ્યું કે રાજ્યોએ લોકોની ચિંતા દૂર કરવા માટે જાગરુકતા અભિયાન ચલાવે અને સાથે લોકોને જરૂરી સામાનની ખરીદી ગભરાઈને ન કરવા કહે.
રાજ્યો ગ્રાહકોની ફરિયાદ પણ કરી શકે છે
આ સિવાય રાજ્યોથી પ્રભાવી રીત અને આદેશના અનુપાલન માટે રાજ્ય કે જિલ્લા સ્તર પર ખાદ્ય અને નાગરિક આપૂર્તિ, ખાદ્ય સુરક્ષા, નાપ તોલ, સ્વાસ્થ્ય અને નીતિ વિભાગની સંયુક્ત ટીમ ગઠિત કરવા કહેવાયું છે. જેથી માંગ અને આપૂર્તિમાં અંતર, જમાખોરી અને જરૂરી ચીજના ભાવમાં વધારો જેવી વાતો ન બને. ખરેએ કહ્યું કે રાજ્યોના જરૂરી સામાનની આપૂર્તિને લઈને ગ્રાહકોને માટે હેલ્પલાઈન નંબર પણ તૈયાર કરવા કહેવાયું છે જેથી તેઓ પોતાની ફરિયાદ નોંધી શકે અને સાર્વજનિક પ્રાધિકરણ તમારું સમાધાન કરી શકે. રાજ્યોની સ્થિતિની સમીક્ષા કરવા અને સ્થિતિને આધારે યોગ્ય કાર્યવાહી કરવાનું કહેવાયું છે.