બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌતને Y કેટેગરી સુરક્ષા મળી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કંગનાને Y કેટેગરી સુરક્ષા પુરી પાડી છે. નોંધનીય છે કે, સુશાંતસિંહ રાજપૂત મામલે અવાજ ઉઠાવવાથી લઈને શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉત અને ગૃહમંત્રી અનિલ દેશમુખે કંગના રનૌતને મહારાષ્ટ્ર ન આવવા ચેતવણી આપી હતી. જેને પગલે હિમાચલના મુખ્યમંત્રીએ તેને સુરક્ષા આપવાની વાત કરી છે.
બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌતને Y કેટેગરી સુરક્ષા
ટ્વીટ કરીને કેન્દ્ર સરકારનો માન્યો આભાર
અમિત શાહે સંબોધીને કહ્યું કે, દીકરીની લાજ રાખી
ઉલ્લેખનીય છે કે, કંગનાના સુરક્ષામાં હવે 11 જવાનો તૈનાત હશે. જેમાં એક અથવા 2 કમાન્ડો અને બાકીના પોલીસકર્મી હશે. 9 સપ્ટેમ્બરે કંગના રનૌત મુંબઈ જવાના છે.જ્યાં તેમને Y કેટેગરી સુરક્ષા મળી જશે.
કંગનાને મળશે Y કેટેગરી સુરક્ષા
આપને જણાવી દઈએ કે, કંગના ફરી એકવાર ટ્વિટર પર ચર્ચામાં રહી છે. મુંબઈ પોલીસ અંગેના તેમના નિવેદન બાદથી શિવસેના કંગના પર શાબ્દિક પ્રહાર કરી રહી છે. શિવસેનાએ કંગના વિશે પોતાનું વલણ વધુ તીવ્ર બનાવ્યું છે અને આ સંજોગોને ધ્યાનમાં રાખીને કંગનાના પિતાએ હિમાચલ પ્રદેશ સરકાર પાસે પોલીસ સુરક્ષાની માંગ કરી હતી. હવે અહેવાલ છે કે કંગનાને હવે ગૃહ મંત્રાલય દ્વારા વાય કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.
કંગનાએ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી હતી
પોતાને મળેલી સુરક્ષા અંગે ખુશી વ્યક્ત કરતાં કંગનાએ ગૃહ પ્રધાન અમિત શાહને ટેગ કરતા લખ્યું, 'આ એક પુરાવો છે કે કોઈ પણ ફાશીવાદી દેશભક્તિના અવાજને કચડી શકશે નહીં, હું અમિત શાહ જીનો આભાર માનું છું. તેમણે સંજોગોને લીધે મને થોડા દિવસ પછી મુંબઇ જવાની સલાહ આપી હોત, પરંતુ તેમણે ભારતની એક પુત્રીનું માન રાખ્યું છે, અમારા સ્વાભિમાન અને આત્મ-સન્માનની લાજ રાખી, જય હિન્દ.
શું છે સમગ્ર મામલો
પોતાના નિવેદનો માટે જાણીતી હિરોઇન કંગના રનૌત હંમેશા ચર્ચામાં રહે છે. બોલિવૂડની પંગા ક્વિન સોશ્યલ મિડીયા પર હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. સુશાંત કેસમાં આગળ આવીને બોલનાર અભિનેત્રી બોલિવૂડ વિશે ખુલ્લેઆમ વાતો કરતી રહે છે, હાલમાં જ મુંબઇને પીઓકે બતાવનાર કંગના ઉપર બોલિવૂડ સેલેબ્સની નારાજગી જોવા મળી રહી છે. તેને ધમકીઓ મળી છે કે તેને જો પોતાનો જીવ વ્હાલો હોય તો તે મુંબઇ પાછી ન આવે.
કોઇના બાપની તાકાત હોય તો રોકી લો
કંગનાએ એક ટ્વીટ કરી છે કે, મને ખબર છે કેટલાક લોકો મને ધમકીઓ આપી રહ્યા છે કે મારે મુંબઇ પાછુ ન આવવુ જોઇએ, માટે મેં નિર્ણય કર્યો છે કે હવે 9 સપ્ટેમ્બર હું મુંબઇ પાછી આવીશ. જ્યારે હું મુંબઇ એરપોર્ટ પર ઉતરીશ ત્યારે સમય પણ શૅર કરીશ, કોઇના બાપની તાકાત હોય તો રોકી લો.