ઈલેક્ટ્રિક વાહનોને વેગ આપવા માટે સરકારે મોટર વ્હીકલ એક્ટમાં ફેરફાર કર્યા છે. કેન્દ્રીય મોટર વ્હીકલ નિયમોમાં સરકારે જારી કરેલાં નવા સુધારા હેઠળ જો કારનું ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમથી સજ્જ છે અથવા તેમની પાસે ટાયર રિપેર કિટ છે, તો કારમાં સ્પેયર ટાયર રાખવાની જરૂર નથી. મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન બજારમાં ઇલેક્ટ્રિક વાહનોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ બદલાવ કરવામાં આવ્યો છે. આનાથી કારમાં સ્પેયર ટાયર ન હોવા પર વધુ જગ્યા મળશે અને તેમાં એક મોટી બેટરી રાખી શકાશે.
કારચાલકો માટે કામના સમાચાર
સરકારે મોટર વ્હીકલ એક્ટના નિયમોમાં કર્યા ફેરફાર
ભારત ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં લઈ રહ્યું છે
દેશના કાર્બન ફુટપ્રિન્ટમાં વધારાની વચ્ચે કેન્દ્ર પર્યાવરણીય ચિંતાઓ પર ભારત ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં લઈ રહ્યું છે. નવા ફેરફાર સાથે ઇલેક્ટ્રિક વાહનની મોટી બેટરી ખાલી જગ્યામાં રાખી શકાય છે, જે વાહનની રેન્જમાં વધારો કરશે. દેશમાં ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓની સૌથી મોટી ચિંતા તેની માઇલેજ છે.
ગાડીઓમાં એક સ્પેયર ટાયરની જરૂરને લઈને ફેરફાર કરવામાં આવ્યા છે. નવા ફેરફાર હેઠળ વાહનમાં ઈન બિલ્ડ ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS)ની જરૂર નથી. એવું કહેવાય છે કે, જો ગાડીમાં કંપનીઓ દ્વારા ટાયર રિપેરિંગ કિટ અને TPMS આપવામાં આવે તો આવા વાહનોમાં સ્પેયર વ્હીલ રાખવાની જરૂર નથી.
TPMS ચાલકને ટાયર પ્રેશર વિશે જણાવી દે છે અને ચેતવણી આપે છે કે, ખરાબ ટાયર સાથે ગાડી ચલાવવી ખતરનાક સાબિત થઈ શકે છે. TPMS લો ટાયર પ્રેશર ઈન્ડિકેટર એક યેલ્લો પ્રતીક છે જે ડેશબોર્ડ ઈન્સ્ટ્રૂમેન્ટ પેનલ પર સિગ્નલ આપે છે.