કેન્દ્રએ રાજ્યોને કોરોના મહામારી સામે લડવા માટે રાજ્ય આપત્તિ રાહત ફંડ (SDRF) ની 50 ટકા સુધીની રકમના ઉપયોગની મંજૂરી આપી દીધી છે. રાજ્ય આ રૂપિયાને કોરોન્ટાઇન સુવિધા, લેબ તપાસ, ઑક્સિજન બનાવવા માટેનો પ્લાન્ટ કરી શકશે અને વેંટિલેંટર તેમજ પીપીઇ કિટ પણ ખરીદી શકશે. આ નિર્ણય સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કોરોનાના સૌથી વધુ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ લેવામાં આવ્યો. જેમાં પીએમ મોદીએ કહ્યું હતું કે કોરોના સંબંધી આરોગ્ય સ્થિતિ મજબૂત કરવા માટે રાજ્ય આપત્તિ રાહત ફંડનો ઉપયોગ 35 ટકાથી વધારીને 50 ટકા સુધી કરવામાં આવી રહ્યો છે.
કોરોના મહામારી સમયે રાજ્યોને કેન્દ્રની રાહત
SDRFની 50 ટકા રકમ રાજ્યો કોરોના માટે વાપરી શકશે
7 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠક બાદ નિર્ણય લેવાયો
કેન્દ્રીય ગૃહમંત્રાલયે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને એક સંદેશમાં નાણાંકીય વર્ષ 2020-21માં વિશેષ પરિસ્થિતિમાં એસડીઆરએફની 50 ટકા સુધીની રકમ કોરોના સામેની જંગમાં ખર્ચ કરવા વસ્તુઓ અને નિયમોની યાદીમાં આંશિક સંશોધનની વાત કરી છે. ઉલ્લેખનીય છે કે SDRFમાં સૌથી વધારે ભાગ રાષ્ટ્રીય આપત્તિ કોષમાંથી આવે છે.
આ સુવિધાઓ પર ખર્ચ કરી શકે છે રાજ્ય
રાજ્ય કોરેન્ટાઇન કેન્દ્ર, નમૂના સંગ્રહ તેમજ તપાસ જેવી સુવિધાઓ માટે SDRF ફંડમાંથી 50 ટકા સુધીની રકમ ખર્ચ કરી શકે છે. કોરોના પ્રભાવિત લોકો અને ક્વોરોન્ટાઇન કેન્દ્રમાં રાખવામાં આવેલા લોકો માટે અસ્થાયી વ્યવસ્થા, ખાવા-કપડા, આરોગ્ય સુવિધા છે.
નમીના સંગ્રહમાં ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓ અને સંપર્કોની શોધ કરવા તેમજ મહત્વપૂર્ણ ઉપકરણોની ખરીદી અને પ્રયોગશાળા સ્થાપિત કરવાનો ખર્ચ તેમજ ટેસ્ટિંગ કિટ પણ નવા નિયમોમાં આવશે.
તેમાં આરોગ્ય સુવિધાઓ સાથે જોડાયેલ લોકો, નગરનિગમ, પોલીસ અને ફાયર બ્રિગેડ સર્વિસ સાથે જોડાયેલા લોકો માટે પીપીઇ કિટની કિંમત, થર્મલ સ્કેનર, વેંટિલેંટર અને પ્યૂરીફાયર, હોસ્પિટલમાં ઓક્સિજન ઉત્પાદન તેમજ ભંડારાની કિંમત પણ હશે.
આ સાથે જ કોરોનાના દર્દીને લાવવા તેમજ મુકવા માટે એમ્બ્યુલેંસ સેવામાં સુધાર, કન્ટેમેન્ટ ઝોન, કોવિડ-19 હોસ્પિટલ, કોવિડ સેન્ટરની સ્થાપના અને સરકારી હોસ્પિટલોમાં ઉપયોગ કરનારી વસ્તુઓના ખર્ચમાં સંશોધિત નિયમોના હેઠળ આવશે.
મુખ્ય સચિવ રાખશે દેખરેખ
ગૃહ મંત્રાલયના સંદેશ મુજબ, સંબંધિત રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્ય સચિવના નેતૃત્વમાં રાજ્ય કાર્યકારી સમિતિ સંપૂર્ણ તંત્ર પર નજર રાખશે, જેથી બાકી સરકારી યોજનાની સાથે આનું પણ પુનરાવર્તન ના થાય.