પૂર્વ અધિકારીના એક ગ્રુપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક ખુલ્લો પત્ર લખીને સેંટ્રલ વિસ્ટા પુનર્વિકાસ પરિયોજના (Central Vista Project) પર ચિંતા વ્યક્ત કરતા આરોપ લગાવ્યો છે કે શરુઆતથી ગેર જવાબદારી વલણ દાખવામાં આવી રહ્યું છે.
પૂર્વ અધિકારીએ PM મોદીને પત્ર લખ્યો
સેંટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને ગણાવ્યો ગેર જરૂરિયાત
PM મોદીએ કર્યું હતું નવા સંસદ ભવનનું ભૂમિપુજન
Constitutional Conduct Group (બંધારણીય આચાર જૂથ) બેનર હેઠળ 69 સેવાનિવૃત્ત અધિકારીએ દાવો કર્યો છે કે દેશની જાહેર આરોગ્ય સેવા રોકાણની રાહ જોઇ રહી છે અને સવાલ કર્યો કે આરોગ્ય અને શિક્ષા જેવી સામાજિક પ્રાથમિકતાના સ્થાન પર બેકાર અને અનાવશ્યક પરિયોજનાને પ્રધાનતા કેમ આપવામાં આવી રહી છે.
આ પત્ર પર પૂર્વ IPS અધિકારી જવાહર સરકાર, જાવેદ ઉસ્માની, એન સી સકસેના, અરુણા રોય, હર્ષ મંદર અને રાહુલ ખુલ્લર તેમજ પૂર્વ IPS અધિકારી - એ એસ દુલત, અમિતાભ માથુર અને જુલિયો રિબેરોના હસ્તાક્ષર છે.
તેઓએ કહ્યું કે સંસદના નવા ભવનનું ખાસ કોઇ કારણ ન હોવા છતા આ ઘણી ચિંતાની વાત છે કે જ્યારે દેશમાં અર્થવ્યવસ્થા ઘટાડાનો સામનો કરી રહી છે, જેને લાખો લોકોની મુશ્કેલીને સામે લાવી છે, સરકારે ધૂમધામથી તેના પર રોકાણ કરવાનો વિકલ્પ પંસદ કર્યો છે.
રાષ્ટ્રીય રાજધાની સેંટ્રલ વિસ્ટા પરિયોજના હેઠળ સંસદના નવા પરિસર, કેન્દ્રીય મંત્રાલયો માટે સરકાર બિલ્ડિંગ, ઉપરાષ્ટ્રપતિ માટે નવું એન્કલેવ, પ્રધાનમંત્રીના કાર્યાલય અને તેમના નિવાસ સહિત અન્ય નિર્માણ કરવાના છે.
પરિયોજનાનું કામ કરી રહેલા લોક નિર્માણ વિભાગ (CPWD)એ અંદાજીત રકમને 11,794 કરોડ રુપિયાથી વધારીને 13,450 કરોડ રુપિયા કરી નાંખ્યું છે. પત્રમાં આરોપ લગાવામાં આવ્યો છે, અમે અમારી ચિંતાઓ અંગે તમને જાણ કરવા આજે એટલા માટે પત્ર લખી રહ્યાં છે કે સરકાર અને તેના પ્રમુખ તરીકે તમને કેન્દ્રીય વિસ્ટા પુનર્વિકાસ પરિયોજનાના કેસમં કાયદાના શાસનનો અનાદર કર્યો. પ્રારંભથી જ આ પરિયોજનામાં ગેર જવાબદારી વલણ દાખવામાં આવ્યું, જે કદાચ આ અગાઉ ક્યારેય જોવામાં આવ્યું નથી.
પત્રમાં આરોપ લગાવામાં આવ્યો છે કે ખાસ કરીને ચિંતાની વાત એ છે કે જે રીતે યોજનાને પર્યાવરણની મંજૂરી મેળવી છે, તેમાં સેંટ્રલ વિસ્ટાના મુખ્ય સ્થાનો અને વિરાસત ભવાનના મહત્કાંક્ષાથી પ્રેરિત લક્ષ્યની ઉપલબ્ધિમાં ખોટી રીતે અડચણ માનવામાં આવ્યાં છે.
પૂર્વ અધિકારીએ આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે પ્રધાનમંત્રી કાર્યપાલિકાના પ્રમુખ હોય છે ન કે વિધાનસભા હોય. એ ભવન જેમાં સંસદના બંને સદન હશે, નિયમ તેમજ પ્રોટોકોલ મુજબ રાષ્ટ્રપતિએ તેમા આધારશિલ રાખવી જોઇતી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બરના રોજ સંસદના નવા ભવનનો શિલાન્યાસ કર્યો હતો.