કોરોનાથી મૃત્યુ બાદ પરિવારે સહાય માટે કરેલા દાવા મુદ્દે કેન્દ્ર સરકારની 3 સભ્યોની એક ટીમ ગુજરાત પહોંચી
કોવિડ મૃત્યુ ક્લેઇમની તપાસ કેન્દ્રીય સરકારની ટીમ ગુજરાતમાં
ક્લેઇમ કરેલી અરજીઓની રેન્ડમ તપાસ હાથ ધરશે
કેન્દ્ર સરકારે ખોટા ક્લેઈમ થયા હોવાની SCમાં કરી હતી રજૂઆત
કોવિડ મૃત્યુ ક્લેઇમની તપાસ કેન્દ્રની ટીમના ધામા
કોરોનાથી મૃત્યુ બાદ પરિવારોએ સહાય માટે કરેલા દાવા મુદ્દે કેન્દ્ર સરકારની 3સભ્યોની એક ટીમ ગુજરાતમાં આવી પહોંચી છે. જે કોરોનાથી મૃત્યુ પામેલા પરિવારોના ક્લેઈમ કરેલી અરજીઓની રેન્ડમ તપાસ હાથ ધરશે.
કેન્દ્ર સરકારે ખોટા ક્લેઈમ થયા હોવાની SCમાં કરી હતી રજૂઆત
ઉલ્લેખનીય છે કે, અગાઉ સુપ્રીમ કોર્ટમાં ખોટા ક્લેઇમ મામલે થઇ હતી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કોવિડ મૃત્યુ કલેઈમની સહાય માટે ખોટા દાવાઓ કરવામા આવ્યાં હોવાની સુનાવણી કરવામાં આવી હતી. જેમાં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળમાં સૌથી વધુ ખોટા ક્લેઇમ કરાયા હોવાનું માલુમ પડ્યું હતું.
SCની માર્ગદર્શિકા પ્રમાણે સહાય ચૂકવણી અંગે તપાસ કરશે ટીમ
જેને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ખોટા ક્લેઈમ પર સ્ક્રુટીની મંજૂરી આપવામાં આવી હતી.ત્યારે ડૉ.એસ.વેંકટેશના નેતૃત્વ હેઠળ 3 સભ્યોની ટીમ તપાસ માટે ગુજરાત આવી પહોંચી છે.જેઓ SCની માર્ગદર્શિકા પ્રમાણે સહાય ચૂકવણી અંગે તપાસ કરશે.